SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું, એગણીસમું, અને વીસમું વર્ષ ૩૨૫ રાખી. ત્યાર બાદ તે બાપથી પણ સવાયા દુરાચાર આચરતા રાજગૃહ નગરમાં કેર વરતાવવા લાગ્યો. એક વખત તે રાજગૃહ નગર તરફ જતો હતો, તેવામાં માર્ગમાં મહાવીર ભગવાન લોકોના ટોળાને ધર્મોપદેશ આપતા બેઠા હતા. બાપની આજ્ઞા યાદ લાવી રૌહિણેયે તરત પોતાના કાનમાં આંગળીઓ ઘાલી, જેથી મહાવીરના શબ્દો કાને ન પડે. પરંતુ માર્ગમાં કાંટો વાગતાં તેને કાનમાંથી હાથ કાઢવા પડ્યા. તે વખતે તેના કાનમાં ભગવાનના આટલા શબ્દો પડી ગયા : દેવના ચરણ પૃથ્વીને અડતા નથી; તેમનાં નેત્ર નિમેષરહિત હેય છે, તેમણે પહેરેલી પુષ્પમાળાઓ કરમાતી નથી, અને તેમને શરીરે પરસેવે કે મેલ હેતાં નથી.' રૌહિણેયના ત્રાસથી વ્યાકુળ થયેલા પ્રજાજાએ શ્રેણિક રાજા પાસે ધા નાખી. રાજાએ કેટવાળ વગેરેને ખૂબ ધમકાવ્યા, પણ તેઓએ પિતાની લાચારી કબૂલ કરી. આથી અભયકુમારે પોતે રૌહિણેયને પકડવાનું કામ હાથ લીધું. તેણે રાજાના આખા લશ્કરને છૂપી રીતે નગરની આસપાસ ગોઠવી દીધું અને પોતે સૂચના કરે ત્યાર બાદ જે કઈ નગરમાંથી નીકળતું માલુમ પડે, તેને પકડી લેવાની આજ્ઞા કરી. આખું લશ્કર છૂપી રીતે રાજગૃહની આસપાસ ગોઠવાઈ ગયું. રૌહિણેયને તેને ગણુસાર સુધ્ધાં માલુમ ન પડ્યો. પછી રાત્રે નગરમાં ફરી આવીને જે તે બહાર નીકળવા ગયો કે તરત તૈયાર બેઠેલા લશ્કરના હાથમાં સપડાય. પરંતુ જ્યાં સુધી તેની પાસે ચોરીને મુદ્દામાલ ન હોય, કે તે પોતે પિતાને ગુને કબૂલ ન કરે, ત્યાં સુધી તેને શિક્ષા કેવી રીતે થાય? રૌહિણેને પૂછતાં તેણે જણાવ્યું કે, હું રોહિણેય નથી; હું તે શાલિગ્રામના રહેવાસી દુર્ગચંડ નામને ખેડૂત છું. રાજાએ શાલિગ્રામમાં તપાસ કરાવી. આવા કોઈ પ્રસગે છટકી શકાય તે માટે રૌહિયે તે ગામમાં પહેલેથી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy