SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી મહાવીર કથા એ વખતે પ્રસંગ જોઈ મૃગાવતી ઊઠી, અને ભગવાન પાસે દીક્ષા લેવાનો પિતાનો નિર્ણય જાહેર કર્યો. તેણે ચંડોત પાસે જઈ, દીક્ષા લેવા માટે પરવાનગી માગી, તથા જણાવ્યું કે, મારે પુત્ર મેં તમને સેંથો છે; હવે મને સંસારના ભેગવિલાસ ઉપર વૈરાગ્ય આવ્યું છે માટે મને દીક્ષા લેવાની પરવાનગી આપે. ચંડપ્રદ્યોત હા-ના કરી શક્યો નહીં; એટલે મૃગાવતીને ભગવાને તરત દીક્ષા આપી દીધી. આ જ વખતે ચંડ પ્રવાતની આઠ રાણીઓએ પણ (કદાચ બધી વાત સમજી જઈને) ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ ભગવાને તે સૌને આ ચંદનાને સોંપી. [૨૦ મું ચેમાસું ]. ત્યારબાદ ભગવાન વત્સ દેશમાંથી નીકળી વિદેહ તરફ વળ્યા. અને વૈશાલીમાં આવી ચાતુર્માસ વ્યતીત કર્યો. એ તેમનું દીક્ષા જીવનનું વસમું વર્ષ હતું, અને કેવલીજીવનનું આઠમું ચોમાસું હતું. પરિશિષ્ટ અભયકુમારની બુદ્ધિમત્તાની સ્થાએ રાજગૃહ નગર પાસેના વૈભાર પર્વત ઉપર લેહખુર નામે એક ચાર રહેતા હતા. તે ચાર છિદ્ર મેળવીને રાજગૃહ નગરના લોકોનાં ધન તથા સ્ત્રીઓ ઉપાડી લાવીને ભોગવતો હતો. તેને રોહણ નામે સ્ત્રીથી રૌહિણેય નામે પુત્ર થયો હતો. તે પણ અનાચારોમાં બાપ જેવો જ નીકળ્યો. મરતી વખતે લેહખુરે રૌહિણેયને પાસે બેલાવીને કહ્યું કે, મારી આટલી છેલ્લી આજ્ઞા હંમેશાં યાદ રાખજેજ્યાં કોઈ સાધુસંત ઉપદેશ આપતા હોય, ત્યાં સરસે પણ જઈશ નહીં. રૌહિણેયે તે આજ્ઞા કબૂલ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy