SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ ૩૩૩ સેબત થઈ અને તેમની ભેગે તે પણ ચેર થઈને ભળી ગયો. આમ તે સોનીની પાંચસોયે સ્ત્રીઓ પુરુષરૂપે આ જન્મમાં ભેગી મળી. હવે પેલી બહેન યુવાવસ્થામાં આવતાં કુલટા થઈ. તે છાથી ફરતી ફરતી કોઈ ગામમાં આવી. તે રાત્રે પલા પાંચસે ચોરોએ તે ગામ લૂંટયું, અને તેમાં પેલી કુલટા હાથ આવતાં તેને તેઓ સાથે ઉપાડી ગયા. પછી તે બધા . ચેર તેને પોતાની પાસે રાખી ભેગવવા લાગ્યા. એક વખત તેમણે વિચાર્યું કે, આ બિચારી એકલી છે, તેથી આપણ બધાની સાથે ભોગવિલાસ કરતાં થોડા સમયમાં મરી જશે. માટે કોઈ બીજી સ્ત્રી લાવીએ તે ઠીક. એવા વિચારથી તેઓ બીજી સ્ત્રીને લાવ્યા. પરંતુ પેલી કુલટા તે સ્ત્રી ઉપર ઝેરે બળવા લાગી. અને એક વખત લાગ મળતાં તેને તેણે કૂવામાં ગબડાવી દીધી. બધા ચારે તેની તપાસ કરવા લાગ્યા; અને તેમની ખાતરી થઈ કે, જરૂર આ કુલટાએ તેને મારી નાખી હશે. પેલા બ્રાહ્મણને આ કુલટા ઉપર પહેલેથી સંશય તો હતો જ કે, આ મારી બહેન તે નહીં હૈય? આથી તે ભગવાન મહાવીરને સર્વજ્ઞ જાણ, જ્યારે પ્રદ્યોત અને મૃગાવતી તેમની પાસે બેઠાં હતાં ત્યારે જ પૂછવા આવ્યો કે, “ભગવાન! તે એ જ છે ?” ભગવાને પણ ટૂંકમાં જવાબ આપ્યો, “હા. એ જ છે.” એ જાણે તે બ્રાહ્મણને અતિશય વૈરાગ્ય આવ્યો. તેણે ભગવાન પાસે ત્યાં ને ત્યાં દીક્ષા લીધી. ભગવાને તેની વાત પ્રદ્યોત મૃગાવતી વગેરેને કહી સંભળાવી, તથા સ્ત્રી પ્રત્યેની આસક્તિ કેવાં કેવાં કુકર્મો કરાવે છે, તે વિષે સચેટ શબ્દોમાં બયાન કર્યું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy