SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા પિતાનું અંતઃપુર આમ મોટું હોવાથી, તથા સ્ત્રી જાત ઉપર અવિશ્વાસ હોવાથી કોઈ બીજા પુરુષો પોતાની સ્ત્રીઓને દૂષિત ન કરે, તે માટે તે બહુ તકેદારી રાખતો, અને બનતા લગી કદી ઘર છોડીને કક્યાંય જાતે જ નહીં. એક વખત તેને પ્રિય મિત્ર તેને બળાત્કારે પિતાને ઘેર જમવા લઈ ગયો. તે દરમ્યાન પેલી સ્ત્રીઓ જરા છૂટકારાને દમ ભરતી વસ્ત્રાભૂષણ સજી વિહાર કરતી હતી. તેવામાં તે સેની ઉતાવળે ઉતાવળો પાછો આવી પહોંચ્યો. સને દાખલો બેસાડવા તેણે તેમાંથી એક સ્ત્રીને પકડીને એવી તો મારી કે તે ત્યાં ને ત્યાં મરણ પામી ગઈ. પરંતુ પરિણામ ધાર્યા કરતાં ઊલટું આવ્યું. બાકીની સ્ત્રીઓએ પણ માન્યું કે તે દુષ્ટ આપણ સૌને આમ મારી નાખશે, એટલે તેમણે ભેગી થઈ તેને ત્યાં જ ફૂટી નાખ્યો. ત્યારબાદ તેઓ તેના મડદા સાથે ચિતા સળગાવીને બળી મરી. તે ચાર ને નવાણું સ્ત્રીઓ મરણ પામીને બીજે જન્મે પુરુષ થઈ. દેવયોગે તે બધા એકઠા મળી, કોઈ અરયમાં કિલ્લે કરી, ચેરી અને લૂંટફાટનો ધંધે કરવા લાગ્યા. પેલો સેની તથા તેણે મારી નાખેલી તેની સ્ત્રી એ બંને એક એક તિર્યંચ જન્મ ભોગવ્યા પછી એક બ્રાહ્મણને ત્યાં ભાઈ બહેન તરીકે ઉત્પન્ન થયાં. પેલી સ્ત્રી ભાઈ અને સોની બહેન થયો. ભાઈ માટે હોવાથી માતપિતાએ નાની બહેનને સાચવવાનું કામ તેને સોંપ્યું હતું. તે બાળકી બહુ રડ્યા કરતી. પેલે ભાઈ તેને છાની રાખવા પેટ હેઠળ બધે પંપાળતા. એટલે તે રતી બંધ થતી. આમ જ્યારે બહેન રડતી, ત્યારે તે આમ પંપાળ, અને બહેન છાની રહી જતી. પરંતુ એક વાર તેને આમ કુચેષ્ટા કરતે તેનાં માતાપિતાએ જોયો, એટલે તેમણે તેને કેધથી મારીને ઘર બહાર કાઢી મૂક્યો. તે રિસાઈને ડુંગરાઓમાં ચાલ્યો ગયો. ત્યાં તેને પેલા ચારસો નવ્વાણું ચેરની
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy