SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદત્તા નામની તેર રાણુંઓએ પણ ભગવાન પાસે દીક્ષા લીધી. તેઓએ આર્ય પાસે રહી સામાયિક વગેરે ક્રિયાઓ તથા ધર્મગ્રંથેનું જ્ઞાન મેળવી લીધું. અને ત્યાર બાદ ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દશ ટંક, બાર ટંક, પંદર ક, મહિને વગેરેના ઉપવાસ આદિ વિવિધ તપકર્મો વડે આત્માને ભાવિત કરતાં કરતાં ૨૦ વર્ષ દીક્ષિત જીવન ગાળ્યું. અંતે સાઠ ટંકના ઉપવાસથી દેહને અંત લાવીને, જે વસ્તુ માટે તેઓએ મુંડન કરાવ્યું હતું, બ્રહ્મચર્ય સ્વીકાર્યું હતું, સ્નાનછત્ર-જોડાને ત્યાગ કર્યો હતો, ભૂમિ ઉપર સૂવું, પાટિયા ઉપર સૂવું, ભીખ માગવી વગેરે નિયમો સ્વીકાર્યા હતા, તથા પારકાને તિરસ્કાર, માનાપમાન વગેરે સંકટ અને વિડ્યો સહન કરવાનું મંજૂર રાખ્યું હતું, તે વસ્તુ તેઓએ પ્રાપ્ત કરી. અર્થાત સિહબુદ્ધ અને મુક્ત થઈ, તેઓએ સર્વ દુઃખને અંત આવશે. ૧. વસંદેશ તરફ [૧૯ મું ચોમાસું] દીક્ષા જીવનના ૧૮ મા વર્ષનું એ માસું ભગવાને રાજગૃહમાં જ વિતાવ્યું, આ વખતને તેમને રાજગૃહને વર્ષાવાસ ઘણે ફળદાયી નીવડયો કહેવાય. ચોમાસું વીત્યા પછી ભગવાન વત્સદેશ તરફ ચાલ્યા. આલલિકામાં કેટલાક શ્રાવકો વચ્ચે દેવતાઓની વધારેમાં વધારે સ્થિતિ બાબત પુદગલ પરિવાજની કથામાં [પા. ૩૧૬ ] જણાવ્યા મુજબ મતભેદ પડ્યો હતો. વિભદ્રપુત્ર નામનો શ્રાવક સાચી સ્થિતિ નિરૂપતે હતો, પરંતુ, બીજા શ્રાવક તેના ઉપર વિશ્વાસ કરતા નહતા. ભગવાને બષિભદ્રપુત્રના કથાનું સમર્થન કરી, સૌની શંકાનું નિવારણ કર્યું. ભગવાન હવે કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા. ઉદાયનની વિધવા રાણું મૃગાવતીએ ઉજજયિનીને ચંડપ્રદ્યોતને આશા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy