SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અઢામું, એગણીસમું, અને વીસમું વર્ષ ૨૯ આ જવાબ સાભળી અભયકુમાર વિચારમાં પડી ગયે. તેણે પિતા શ્રેણિક પાસે આવીને કહ્યું કે, મારે હવે રાજ્ય નથી જોઈતું ! રાજાએ કારણ પૂછતાં અભયકુમારે જણાવ્યું કે, ભગવાન મહાવીરના કહ્યા પ્રમાણે, હવે કેાઈ રાજ દીક્ષા લેવાનો નથી. એટલે હું રાજા થાઉં તો પછી મારા નસીબમાં દીક્ષા લેવાનું ન ઘટે. માટે હું તે હવે રાજપાટને ખ્યાલ રાખ્યા વિના દીક્ષા લેવા જ ચાલ્યો જવા ઈચ્છે છે. તમે કૃપા કરીને અનુજ્ઞા આપે. રાજાએ ન છૂટકે અભયકુમારને અનુજ્ઞા આપી. અભયકુમારની પેઠે શ્રેણિક રાજાના જાલી, દીર્ધસેન આદિ કુલ ૨૧ કુમારોએ ભગવાન પાસે દીક્ષા લીધી. તેમાંથી જાલી, મયાલિ, ઉવયાલી, પુરિસણુ, વારિસેણ, દીહત, અને લત,-એ સાતની માતાનું નામ શરિણદેવી હતું. અભયકુમારની માતાનું નામ નંદાદેવી હતું. બાકીના દીવસેણુ, મહાસણ, લહૃદંત, ગૂઢદ ત, સુદ્ધદંત, હલ, દુમ, દુમસેણુ, મહાદુમસેણ, સીહ, સીહણ, મહાસીહસે, અને પુણસેણને પણ ધરિણીના પુત્ર ગણવા. તે બધાનાં તપ વગેરેનું વર્ણન સુમને ભદ્રની કથાના જેવું જ ગણવું [આગળ પા. ૨૮૫]. અર્થાત ગુણરત્ન સંવત્સર તપ પૂરેપૂરું આચરીને, તથા અંતે શરીર અત્યંત દુર્બળ થઈ જતાં ૬૦ ટંક અન્ન-જળ વિના વિતાવીને તેમણે પ્રાણત્યાગ કર્યા હતા. જાલી વગેરે પાંચને સાધુકાળ કુલ ૧૬ વર્ષને હત; દીહદત અને લઠ્ઠદતને ૧૨ વર્ષનો, અભયકુમારને પાંચ વર્ષને, અને દીહસણ વગેરે ૧૩ જણાનો ૧૬ વષને. તે બધા મૃત્યુ પામી અનુત્તર દેવલોક પામ્યા હતા. ત્યાંથી ચુત થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, તેઓ સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થશે. આ જ અરસામાં શ્રેણિક રાજાની નંદા, નંદવતી, નંદેત્તરા, નાંદણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરૂ દેવા,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy