SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮. શ્રી મહાવીર કથા આર્દકે કહ્યું, “ઘરમાં મારી આસપાસ વીંટળાયેલું કાચા સૂતરનું બંધન તોડીને હું છૂટો થયો છું, તેથી મને જોઈને આ હાથી વજનદાર લોઢાની સાંકળને પણ તોડી શક્યો છે. સૂક્ષમ નેહતંતુઓ તોડવા એ ખરેખર દુષ્કર છે.” આમ કહી આર્દકકુમારે તેને તથા અજયકુમારને પોતાની સઘળી હકીકત કહી સંભળાવી. ત્યાર બાદ તે ભગવાન મહાવીરનાં દર્શન કરી કૃતાર્થ થયા. મગધમાં ભગવાનના લાંબા વસવાટથી હવે લોકે ઉપર તેમની અને તેમના માર્ગની ઘણી અસર પડવા માંડી હતી. અનેક વિચારવંત તથા પુરુષાથી સ્ત્રી-પુરુષોએ આ વસવાટ દરમ્યાન તેમની પાસેથી દીક્ષા લીધી, અને કાયમને માટે ગૃહત્યાગ કરી, તેમના માર્ગમાં પ્રયાણ કર્યું.. . અભયકુમાર આદિની દીક્ષા મહાવીરના રાજગૃહના આ વસવાટ દરમ્યાન શ્રેણિકપુત્ર અભયકુમાર તથા બીજા પણ જાલી, માલિ, અને દીહસેણ, મહાસણ આદિ તે જ રાજાના પુત્રોએ તેમની પાસે દીક્ષા લીધી. અભયકુમાર પોતાની પ્રખર બુદ્ધિશકિતથી શ્રેણિકરાજાને મંત્રી બન્યો હતો, તે કથા આગળ આગળ આવી ગઈ છે. તેની બુદ્ધિશક્તિ વિષે બીજી પણ કેટલીક કથાઓ ચાલતી આવેલી છે, તે આ પ્રકરણને અંતે પરિશિષ્ટમાં આપી છે. તે ઉપરથી જણાશે કે, પોતાની અદ્ભુત પ્રજ્ઞાશક્તિથી પોતાના પિતાની અને રાજ્યની સેવા બજાવતા અભયકુમાર, પોતે સ્વીકારેલા શ્રાવક ધર્મનું યથાવિધિ પાલન કરતા વિહરતો હતે. વખત જતાં શ્રેણિક રાજા તેને રાજ્યગાદી સ્વીકારવા આગ્રહ કરવા લાગ્યો. પરંતુ અભયકુમાર પિતાને સમજાવતા કે, હજુ થોડી રાહ જુઓ. એક વખત અભયકુમારે મહાવીર ભગવાનની સ્તુતિ કરીને તેમને પૂછયું કે, છેલ્લા રાજર્ષિ કેશુ છે? ત્યારે ભગવાને જવાબ આપ્યો કે, “વીતભય નગરનો ઉદાયન રાજા.'
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy