SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી મહાવીર કથા યોગ્ય કાળે શ્રીમતીને પુત્ર થયે. એટલે આર્દકે ત્યાંથી ચાલ્યા જવાનો વિચાર જાહેર કર્યો. ત્યારે શ્રીમતીએ તથા બીજા બધાએ તેમને સમજાવ્યા કે, નાનું બાળક જ્યાં સુધી ધાવણુ મૂકે નહિ અને હરતું ફરતું થાય નહિ, ત્યાં સુધી ન હોવા બરાબર જ છે. માટે ત્યાં સુધી તમે થોભી જાઓ. પછી જ્યારે પુત્ર બેલતા-ચાલતો તથા હરતા-ફરતો થયો, ત્યારે આદ્રક ત્યાંથી ચાલી નીકળવા લાગ્યા. તે વખતે બુદ્ધિમાન શ્રીમતીએ એક યુક્તિ કરી. તે રેટિયે લઈને કાંતવા બેઠી. પુત્રે પૂછયું, હે માતા! તું આ શું કરે છે ત્યારે માતાએ કહ્યું: “હે પુત્ર, તારા પિતા આપણને અનાથ છોડી ચાલ્યા જાય છે, અને તું હજુ કમાઈ શકે તેટલી ઉંમરને નથી; એટલે હવે અનિંa તથા સ્ત્રી જનને ઉચિત એવા આ ઉદ્યમથી” હું તારું ભરણપોષણ કરીશ.” આ સાંભળી પિતાને પ્રિય એવે તે બાળક કાંતેલા સૂતરનું કેકડું લઈ, પિતા હતા ત્યાં ગયો અને તેમની આસપાસ કાચા સૂતરના તાર વીંટતે કહેવા લાગ્યો, “હવે તમે શી રીતે જવાના છે?” પિતાએ બાળકે દીધેલા આંટા હસતાં હસતાં ગણી જોયા, અને તેટલાં વર્ષ થેભી જવાનું કબૂલ કર્યું. તેટલાં વર્ષ પૂરાં થયાં ત્યારે તે પિતાનું મન ખૂબ કઠણ કરી ચાલી નીકળ્યા જ. તેમણે મહાવીર તીર્થંકરની વાત સાંભળી હતી. એટલે હવે તે તે સીધા રાજગૃહ તરફ જવા નીકળ્યા. માગ માં આદ્રકમુનિને ગે શાલકને ભેટે . ગોશાલકે આર્દકને મહાવીરનાં દર્શને જતા જાણે, તેમને તે વિચાર પડત મૂકવા ખૂબ સમજાવ્યા; પરંતુ આર્દક પિતાના નિશ્ચયમાં ડગ્યા નહિ. તે પ્રસંગે તે બે વચ્ચે થયેલા સવાલ જવાબ સૂત્રકૃતાંગસૂત્રમાં સંઘરાયેલા આપણને મળે છે?
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy