SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું, ઓગણીસમુ અને વીસમું વર્ષ ૩૨૫ ગશાલક: હે આક! આ મહાવીરે પૂર્વે શું કર્યું છે તે સાંભળ. પ્રથમ તે એકાંતમાં એકલો વિચારનાર શ્રમણ હતા. હવે તે અનેક ભિક્ષુઓને એકઠા કરી, ધર્મોપદેશ આપવા નીકળ્યો છે. આમ, તે અસ્થિર માણસે પોતાની આજીવિકા ઊભી કરી છે. તેનું અત્યારનું આચરણ તેના પ્રથમના આચરણથી વિરુદ્ધ છે. આદ્રકઃ મહાવીર હવે અનેક માણસોની વચ્ચે રહી તેમને ધર્મોપદેશ આપતા હોય, તેથી તેમનું એકલાપણું નાશ પામ્યું એમ હું માની શકતો નથી. સંસારનું સંપૂર્ણ સ્વરૂપ સમજી, સ્થાવરજંગમ પ્રાણીઓના કલ્યાણ માટે હજારોની વચ્ચે ધર્મોપદેશ આપનારનું એકાંતપણું કાયમ જ છે એમ હું માનું છું. જે કોઈ શ્રમણ પોતે ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય તથા વાણના ગુણદોષ જાણનારે હય, તે ધર્મોપદેશ આપે તેટલા માત્રથી તેને કશો દોષ લાગતો નથી. ગોશાલકઃ ઠંડું પાણી ન પીવું, બીજ વગેરે ધાન ન ખાવું, પિતાને માટે તૈયાર કરેલો આહાર ન ખાવો, અને સ્ત્રીઓને સહવાસ ન કરવો – એ બાબત ઉપર મહાવીર નાહક વધારે પડતે ભાર મૂકે છે. મારા સિદ્ધાંત પ્રમાણે તે ભાર આવશ્યક નથી. માટે તું નિરર્થક કઠોરતાના જ ઉપાસક તે તાપસને અનુસરવાને ખ્યાલ છેડી દે. આક: ખરે જ! તમારા શ્રમણ-સાધુઓ જે એ બધું કરતા જ હોય, તો પછી બધા ગૃહસ્થને પણ શ્રમણો જ કહેવા જોઈએ! ગોશાલક: આમ કહીને તે તે બધા જ ધર્માચાર્યોને સરખો તિરસ્કાર કરે છે. કારણ કે, એકલા મહાવીર વિના કોઈ બીજે વાદી એ બધી બાબતોના ત્યાગ ઉપર ભાર મૂકતા નથી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy