SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ અઢામું, એગણીસમું, અને વસમું વર્ષ કહ્યું, “હે પિતાજી! પૂર્વે સખીઓ સાથે ક્રિડા કરતી વખતે, મેં એક મુનિને મારા વર કહ્યા હતા. તે કેણ હતા, તે ક્યાં ગયા, તે કશાની ખબર મને છે નહીં, તેમજ મેં રાખી પણ નથી. કારણ કે, તે વખતે તો મને માત્ર રમતને જ ખ્યાલ હતો. પરંતુ હવે, હું આ જીવનમાં તે મુનિ સિવાય બીજા કોઈને મારા પતિ કહેવાની નથી કે કરવાની નથી.' શેઠ વિચારમાં પડી ગયા. એ મુનિ કોઈ વખત ભાગ્યવિશાત નગરમાં પાછા આવી ચડે, તે પણ તેમને ઓળખે કાણ? તેમ જ ઓળખી પણ કાઢે, તેય દરબાર તજીને સાધુ થયેલો માણસ લગ્ન કરવા શાને કબૂલ થાય? પરંતુ પુત્રીને નિશ્ચય ફરે તેમ નથી તેવું જાણ્યા પછી, શેઠે પુત્રીને તે મુનિનું કેઈએધાણું પૂછયું. પુત્રીએ કહ્યું, મેં તેમના ચરણ તરફ નજર કરી હતી ત્યારે તેમના ચરણ ઉપર એક ચિહ્ન મારા જોવામાં આવ્યું હતું. તે વડે હું તેમને જરૂર ઓળખી શકું. ત્યારથી માંડીને શેઠે શહેરમાં જે કંઈ મુનિ આવે, તેને પિતાની પુત્રી દ્વારા શિક્ષા આપવાની વ્યવસ્થા કરી, જેથી દરેકના ચરણ તે જોઈ શકે. એમ કરતાં કરતાં ઘણી વખત વીતી ગયો. પરંતુ શ્રીમતીને નિશ્ચય ડગમગતો નથી કે તૂટતો નથી. છેવટે કર્મસંજોગે આર્થિક મુનિ ફરી તે નગરમાં આવી ચડયા. શ્રીમતીએ વંદના કરતાં તેમના ચરણ ઉપરનું ચિહ્ન જોઈ, તરત તેમને એાળખી લીધા. પછી શેઠે, રાજાએ અને મહાજને બધાએ મળી આદ્ધકને શ્રીમતીના અદ્દભુત નિશ્ચયની તથા અડગતાની વાત કહી સંભળાવી, તથા તેની સાથે લગ્ન કરવા તેમને ખૂબ સમજાવ્યા. આર્દક મુનિ પણ આખી વાત સાંભળી દિમૂઢ થયા; અને છેવટે એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી સાથે રહેવાની શરતે શ્રીમતીને પરણ્યા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy