SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી મહાવીરકથા જ્યારે તેને ખાતરી થઈ કે, પોતાના પિતા આયં દેશમાં જવાની પિતાને રજા આપવાના જ નથી – અને હવે તે પોતાનો ઇરાદો જાણી ગયા હોવાથી પિતાની ઉપર જાપ પણ સારી પેઠે રાખશે જ, ત્યારે તેણે એક યુક્તિ કરી. તેણે સમુદ્ર કિનારે એકાંત દેશમાં એક વહાણ તૈયાર કરાવ્યું; અને પછી અશ્વ ખેલાવવાની કીડા બધાને બતાવતાં બતાવતાં અચાનક ઘેડ તે તરફ દેડાવી મૂક અને વહાણ ઉપર ચડી વહાણ હંકારી મૂકયું ! વહાણ આર્યદેશને કિનારે આવી પહોંચ્યા બાદ આકકુમારે સ્વહસ્તે જ દીક્ષા લીધી; અને પછી સાધુવેષે ફરતો ફરતો તે વસંતપુર નગરે આવી પહોંચ્યો. ત્યાં નગરની બહાર કોઈ દેવાલયમાં તે ધ્યાનસ્થ થઈને બેઠે. તે નગરમાં દેવદત્ત નામે એક મોટો શેઠ રહેતા હતા. તેને ધનવતી નામે પત્ની હતી. પેલી બંધુમતીને જીવ દેવલોકમાંથી આવીને તે શેઠને ઘેર પુત્રીપણે અવતર્યો. તે બાળાનું નામ શ્રીમતી પાડવામાં આવ્યું. ઉમરે આવતાં તે ઘણું સ્વરૂપવતી તથા ગુણવતી થઈ. એક વખત નગરની બીજી બાળાઓ સાથે તે પાતામણની કીડા કરવા પેલા દેવાલયમાં આવી પહોંચી. રમત શરૂ થતાં બધી બાળાઓ બેલી, “સર્વે પોતપોતાને ગમતા એવા વરને વરી લે. એટલે સર્વે કન્યાઓ પરસ્પર રુચિ પ્રમાણે એકબીજીને વર કરીને વરી ગઈ ત્યારે શ્રીમતી તો ધ્યાનસ્થ બેઠેલા આર્દકને બતાવી બોલી, “હું તે આ મુનિને જ વરી!” સખીઓ અંદર અંદર પરિમણની ક્રિડા કરીને વખત થતાં વેરાઈ ગઈ આદ્રક મુનિ ૫ણ તે સ્થળથી નીકળી બીજે સ્થળે ચાલ્યા ગયા. હવે શ્રીમતીના પિતાએ તેના લગ્નનો વિચાર કરવા માંડ અને તે માટે વરની પસંદગી કરવા માંડી. ત્યારે શ્રીમતીએ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy