SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ અટાણું, એગણીસમું, અને વીસમું વર્ષ ૨૦૧૭ છે. મકાથી વગેરે ગૃહસ્થ આલમિકાથી નીકળી, ભગવાન રાજગૃહ આવ્યા. ત્યાં મકાયી (અંકાતી) વગેરે અનેક ગૃહસ્થાએ તેમનો ધર્મોપદેશ સાંભળી, જયેષ્ઠ પુત્રને કુટુંબભાર સંપી, તેમની પાસે દીક્ષા લીધી;૧ અને અનેક વર્ષો તપાદિ યથાવિધિ આચરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. [૧૮ મું ચોમાસું] ભગવાને પિતાના કેવલી જીવનના છઠ્ઠા વર્ષનું માસું રાજગૃહમાં જ વીતાવ્યું. ત્યાર બાદ પણ તે મગધભૂમિમાં જ વિહાર કરતા રહ્યા. તે તેમના દીક્ષા જીવનનું ૧૯મું વર્ષ હતું. શ્રેણિક રાજાએ ભગવાનને પરિચય આ દરમ્યાન બહુ વધારી દીધો હતો, અને તે ભક્તિ ભગવાન તરફ વળતી જતી હતી. એક વખત તે ભગવાન પાસે બેઠો હતો. તેવામાં કુષ્ઠ રેગથી ગળી ગયેલા શરીરવાળે કાઈ પુરૂષ ત્યાં આવ્યો, અને પ્રભુને પ્રણામ કરી, હડકાયા કૂતરાની જેમ પ્રભુની પાસે જમીન ઉપર બેઠે. પછી ચંદનની જેમ તેણે પિતાના પથી ભગવાનના ચરણને નિઃશંકપણે ચર્ચિત કરવા માંડયા. આ જોઈ શ્રેણિક રાજાને ખૂબ ગુસ્સે ચડયો. પણ ભગવાન શાંત જ રહ્યા. તેવામાં ભગવાનને છીંક આવી. એટલે તરત પેલો કુષ્ઠી બોલી ઊઠ્યો, “તમે મૃત્યુ પામો!” પછી રાજા શ્રેણિકને છીંક આવી. ત્યારે તે કુષ્ઠી બોલ્યા, “ઘણું છો!” પછી ૧. તેમની બાકીની કથા આગળ આવી ગયેલા સુમનભદ્ર અને સુપ્રતિષના જેવી જ ગણવી (જીએ પા. ૨૮૫). મકાચીનું સાધુપણું ૧૬ વર્ષનું, અને વિપુલ પર્વત ઉપર સિદ્ધિ જાણવાં. બીજા ગૃહસ્થોનાં નામ તથા સાધુપણાને કાળ વગેરે જાણવા, જુઓ આ માળાનું “પાપ, પુણ્ય અને સંયમ” પુસ્તક, પા. ૧૫૪, તથા ૧૬૨. તેમનાં નામ કિંકર્મ, કાશ્યપ, વારસ, મેધ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy