SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ લે છે, અને તે આથીતિ છે. ત્યાર શ્રી મહાવીર કથા છે, પુદ્ગલનું કહેવું છેટું છે. કારણ કે બ્રહ્મલેકની પાર પણ બીજા દેવલોકે છે, અને તેમાં તે કરતાં પણ વધારે સ્થિતિ છે. દેવોમાં વધારેમાં વધારે સ્થિતિ તેત્રીસ સાગરોપમ વર્ષની છે; અને તે અનુત્તર વિમાનમાં છે. અનુતર વિમાન પાંચ છે. તેમાં પહેલાં ચારમાં ઓછામાં ઓછી ૩૧ સાગરોપમ વર્ષની સ્થિતિ છે, અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ વર્ષની છે. પરંતુ પાંચમામાં તે ઓછામાં ઓછી અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ વર્ષની સ્થિતિ છે. ત્યાર પછી કઈ દેવક નથી; પરંતુ સિહલોક જ છે. આ વાત પણ બધે ફેલાઈ ગઈ; અને તે પુદગલના જાણવામાં પણ આવી. આથી તે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ અને અનિશ્ચિત થશે. તેને વિચાર આવ્યું કે, મહાવીર તે સર્વજ્ઞ અને સર્વદશી કહેવાય છે, તો લાવ તેમની પાસે જઈ, તેમની વાત સાંભળું. ત્યારબાદ ભગવાન પાસે ધર્મોપદેશ સાંભળી, તેમાં શ્રદ્ધાયુકત બની, તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આલલિકાના વાસ દરમ્યાન, તે નગરના ચુલશતક નામના તવંગર ગૃહસ્થ પણ મહાવીર પાસે ગૃહસ્થ ધર્મની દીક્ષા લીધી. ૧. વધુ વિગત માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક, (નવી આવૃત્તિ) પા. ૨૩૦ તથા ૨૩૨. ૨. તેની પાસે પણ છ-છ હિરણ્યકેટી તથા વ્રજ હતાં. એક દેવે તેના પુત્રે મારી નાખવાનો દેખાવ કરી તેને ડરાવ્યો, પણ તે ધ્યાનથી ચલિત ન થા. છેવટે તેનું ધન ઘર બહાર ફેંકી દેવાનો દેખાવ કર્યો, ત્યારે તે ઊભે થઈ ગયો. અલબત્ત, પછી બધે ભ્રમ જણાતાં તેણે પ્રાયશ્ચિત્તાદિ કરી, ફરી નિયમને સ્વીકાર કર્યો. જુઓ આ માળાનું દશ ઉપાસકા” પુસ્તક અધ્ય૦ ૫.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy