SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા સૂરસેને અગ્નિભૂતિને વિવેક-વૈરાગ્ય જોઈ તેને પ્રસન્નતાપૂર્વક દીક્ષા આપી. અગ્નભૂતિ ત્યાર બાદ યથાવત તાપસધર્મ આચરતે યથાકાળે મૃત્યુ પામી, સનકુમાર નામના દેવલોકમાં દેવ થયો. તે ૧૧ મે ભવ છે. કાળક્રમે દેવલોકોમાંથી શ્રુત થઈ તે શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રહ્મણ થયો. તે જન્મમાં પણ પૂર્વજન્મના તથાવિધ સંસ્કારને કારણે તેણે યથાકાળે તાપસવ્રત ધારણ કર્યું, તથા યથોચિત તપકર્મ આચર્યું. તે ભવને અંતે તે માહેદ્ર નામના દેવળેકમાં દેવગતિ પામે. તે ૧૩ મો ભવ છે. ત્યાંથી આવી, તે પૂર્વ કર્મોને બળે વચમાં બીજી સારીનરસી અનેક યુનિઓમાં ભમ્યો. પરંતુ તે નિઓ ભવગણતરીમાં સ્વીકારાઈ નથી. છેવટે તે રાજગૃહ નગરમાં કપિલ નામે બ્રાહ્મણની કાંતિમતી નામની ગૃહિણને પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ થાવર પાડવામાં આવ્યું. ધીરે ધીરે તે યુવાવસ્થા પામ્યું. પહેલેથી જ જન્મ–જરા–મરણ અને વ્યાધિના પ્રહારોથી જર્જરિત એ • લોકસમુદાય જોઈને તેને વૈરાગ્ય આવ્યા કરતા હતા, પરંતુ બીજું કાંઈ કરવાનું સૂઝતું ન હતું, તેથી તે યથાપ્રાપ્ત કર્મ કર્યા કરતો હતો. તેવામાં એક વખત તેણે નાક, ઓડ અને આગળના દાંત છુંદાઈ ગયેલા હેવાથી વિચિત્ર મુખાકૃતિવાળે એવો એક ત્રિદંડી તાપસ જે. તેને જોઈ થાવરને કાંઈ પૂર્વસંસ્કારે જાગ્રત થયા. એટલે તે તેની પાસે ગયો, અને ભક્તિભાવથી કર્તવ્ય કર્મ વિષે તેને પ્રશ્ન પૂછવા લાગ્યો. પેલા ત્રિદંડીએ પણ તેને અધિકાર જોઈ, વિવેકવૈરાગ્યને પ્રદીપ્ત કરે તે ધર્મોપદેશ તેને આપે, તથા પિતાને દાખલો આપીને કહ્યું, “હે ભાઈ! આ સંસારનાં સુખોમાં આસક્ત રહી, મેં ઘણું દુ:ખ વેર્યું છે. મારી પાસે પિતાપિતામહ એકઠું કરેલું પુષ્કળ દ્રવ્ય હતું. તે બધું મેં અનંગસેના નામની વેશ્યાની સેવામાં ખર્ચી નાખ્યું. મારું ધન પૂરું થતાં તેણે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy