SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમાં સવ: વિશ્વભૂતિની કથા ગયા. બીજે દિવસે પાછા આવીને જોયું તેા મારા ધરતું ખાલી ખાખું જ બાકી રહ્યું હતું. અંદરની બધી સામગ્રી તે લેાકા લૂટી ગયા હતા. “ જે નગરમાં ધનવાન અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે હું રહેતા આવ્યા હતા, તે નગરમાં હવે નિષ્કિંચન દરિદ્ર તરીકે રહેવું મુશ્કેલ લાગવાથી, હું ઉત્તર દિશા તરફ ચાલ્યે! ગયા; અને એકાદ ગામમાં જઈ, માગી—તાગીને પેટ ભરવા લાગ્યા. એવામાં એક દિવસ એક ત્રિડી તાપસ મને મળ્યા. મારી દુઃખકથા સાંભળી તેમણે મધુર તેમ જ જ્ઞાનપૂર્ણ વાક્યાથી મને આશ્વાસન આપ્યું, તથા લક્ષ્મીની ચંચળતા વિષે ઉપદેશ આપ્યા. તેમણે કહ્યું કે, લક્ષ્મી કેવળ અનેક અનર્થીનું મૂળ છે. તે પેાતાની ચંચળતા તજીને કાયમ રહે તા પણ કાઈ પ્રકારે સુખનું કારણ થઈ શકતી નથી; ઊલટું રહે ત્યાં સુધી કવ્ય-કર્માંમાં પ્રમાદ જ ઉપજાવે છે. વળી ક્રરહિત મનુષ્યની ઉત્કટ ઋદ્ધિ પશુ અવસ્ય વિનાશ પામે છે; પરંતુ જેએ ધ સહિત છે, તેમને ધન વિના પણ સર્વ સમૃદ્ધિએ સત્વર આવી મળે છે. માટે લક્ષ્મીની કામના તજી, ધરૂપી પુરુષાર્થ આચરવાના જ પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રમાણે તે મહાત્માના સદુપદેશથી તેમજ સત્સંગથી મારે। શેકસમુદાય નાશ પામી ગયા, અને તેમની સાથે રહી તેમના બતાવ્યા મુજબ ધર્મ આચરવા સારુ મેં તેમની પાસે દીક્ષા લીધી.” સુરસેનની કથા સાંભળી અગ્નિભૂતિ તેમને પ્રણામ કરી કહેવા લાગ્યા હું ભગવન્! ધન અને જીવત આટલાં બધાં ચંચળ છે, એ સ્થિતિમાં આપે તેમની પરવા તજીને તાપસપણું સ્વીકાર્યું, એ સારું જ કર્યું. મને પણ હવે આપની કથા સાંભળ્યા પછી ઘરબાર વગેરે વસ્તુઓમાં વૈરાગ્ય આવ્યા છે; માટે આપની પાસે તાપસદીક્ષા લઈ, આપ જે ધમ આચા છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા હું ઇચ્છું છું.'
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy