SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા તેઓ બહુ ગભરાયા. તે વખતે એક દેવે પોતાની શક્તિ વડે તેમનું વહાણુ ખરાબામાંથી બહાર કાઢી રસ્તે પાડયું; તથા તે લોકોને પોતે જ બનાવેલી તીર્થકરની ચંદનકાઇની એક મૂર્તિ લાકડાની પેટીમાં બંધ કરીને આપીને કહ્યું, “આમાં દેવાધિદેવની મૂર્તિ છે, એના પ્રભાવથી તમે સહીસલામત રીતે સમુદ્ર પાર કરી જશે. અને બન્યું પણ તેમ જ. તે વહાણ ઘેડા જ દિવસમાં સિંધુસોવરને કાંઠે આવી લાગ્યું. તે લોકેએ દેવે આપેલી તે મૂર્તિને હવે વીતભયમાં ઉતારી દીધી. ત્યાંના રાજા ઉદાયનની પટરાણું પ્રભાવતી પિતાના મહેલમાં એક ચિત્યગૃહ બનાવી, તેમાં તે મૂતિને સ્થાપીને હંમેશાં તેની પૂજા કરવા લાગી. ઉદાયન રાજા તો તાપસબત હતા; પણ ધીમે ધીમે તે પણ એ મૂર્તિ ઉપર પ્રહાવાળો થવા લાગ્યો. એક દિવસ રાષ્ટ્ર પ્રભાવતી નાચ કરતી હતી, અને રાજા વીણા વગાડતે હતા. તે વખતે રાજાની દૃષ્ટિમાં પાણીનું માથું ન દેખાવાથી તે અધીરે થયો અને તેનું વીણા વગાડવાનું અટકી ગયું. આ જોઈ રાણુએ પૂછયું, “સ્વામિન! મારા નાચમાં કાંઈ ભૂલ થઈ કે શું?” રાજાએ ખરી વાત કહી દીધી. તે ઉપરથી રાણું સમજી ગઈ કે, હવે મારું આયુષ્ય થવું જ બાકી રહ્યું છે. આથી જીવનનું શ્રેય સાધવા તેણે સંસારને ત્યાગ કરી ભિક્ષુણી થવાને વિચાર કર્યો અને રાજાની પરવાનગી માંગી. રાજાએ પણ વિરોધ પછી એક શરતે તેને અનુમતિ આપી કે, “તું મરીને સ્વર્ગમાં દેવતા થાય તે તારે અહીં આવીને મને સબોધ આપો.' રાણીએ તે શરત કબૂલ કરી, અને તે ભિક્ષુણી થઈ. થોડા દિવસમાં મૃત્યુ બાદ તે સ્વર્ગમાં દેવતા થઈ અને પૂર્વે રાજાને આપેલા વચન પ્રમાણે વર્ગમાંથી આવી તેણે રાજાને સંબધ કર્યો. આથી રાજા દિવસે દિવસે વધુ ધમિક થવા લાગ્યો. Sા કરી ભિલા વનનું છે મારું આયુ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy