SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ મહચ, કામદેવ અને ઉદાયન છે. જરાપણ ચલિત થવું ન જોઈએ; અને તેમ કરતાં જે જે યાતનાઓ આવે તે સહન કરવી જોઈએ. ભગવાને સ્વમુખે જે શ્રમણોપાસકની આટલી પ્રશંસા કરી, તેના તરફ આશ્ચર્યની નજરે જોતાં શ્રમણ શ્રમણુઓએ ભગવાનની વાત વિનયપૂર્વક સ્વીકારી. કામદેવ ત્યારબાદ ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછીને, અને તેમના જવાબ બરાબર સમજીને પોતાને ઘેર ગયો. કામદેવે ૨૦ વર્ષ સુધી શ્રમણોપાસકની મર્યાદા બરાબર સાચવી. આનંદની પેઠે તેણે પણ અગિયારે પ્રતિમાઓને બરાબર આરાધી, અને છેવટે સાઠ દિવસ સુધી મારણાંતિક સંલેખના લઈને તે કાળધર્મ પામ્યા અને દેવગતિને પ્રાપ્ત થયે. 8. ઉદાયન રાજર્ષિ તે સમયે સિંધુસૌવીર દેશને વિષે વીતભય નામે નગર હતું. તેમાં ઉદાયન નામે રાજા રાજ્ય કરતો હતો. તેનું લમ વૈશાલીના ચેટકરાજાની પુત્રી પ્રભાવતી વેરે થયું હતું. પ્રભાવતીથી ઉદાયનને અભીતિ નામે પુત્ર થયો હતો. ઉદાયનને કેશકુમાર નામે ભાણેજ પણ હતો. તે ઉદાયન રાજા સિંધુ સૌવીર વગેરે ૧૬ દેશે, વીતમય વગેરે ૩૬૩ નગરો અને ખાણે, તથા મહાસેન વગેરે દશ મોટા મુકુટબદ્ધ રાજાઓ, તેમ જ બીજા અનેક રાજાઓ, યુવરાજે, કેટવાલ, નગરશેઠે, સાર્થવાહ વગેરેને સ્વામી હતો. તે રાજા જૈન શ્રમણને ઉપાસક હતું તથા જૈનશાસ્ત્ર પ્રતિપાદિત છવ-અછવ આદિ તને જાણકાર હતે. તે રાજા જૈન કેવી રીતે બન્યો તથા મહાસેન રાજાને તેણે કેવી રીતે જે તે વિષે નીચેની કથા છે. એક વખત કેટલાક મુસાફરો સમુદ્રની યાત્રા કરતા હતા. સમુદ્રમાં ખૂબ ફાન થવાથી તેમનું વહાણ ખરાબે ચઢયું તેથી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy