SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અહથ, કામ અને હાયન ૧ રાણુના મરી ગયા પછી તીર્થકરની મૂર્તિની પૂજા, રાણુની એક વિશ્વાસ પણ શરીરે બડી દાસી ભક્તિપૂર્વક કર્યા કરતી હતી. એક વખત ગાંધાર દેશનો એક શ્રાવક એ પ્રભાવશાલી મૂર્તિનાં દર્શન કરવા માટે ત્યાં આવ્યો. દાસીએ તે શ્રાવકની ખૂબ સેવા કરી; આથી તે જતી વખતે ખુશી થઈને પિતાની પાસે એક પ્રકારની દેવી પ્રભાવવાળી ગોળાઓ તેને આપતે ગયે. તે ખાવાથી તે દાસીનું કૂબડાપણું મટી જઈને તેને અપ્સરા જેવું સ્વરૂપ-સૌંદર્ય પ્રાપ્ત થયું. એની સુવર્ણ જેવી કાંતિથી હવે તેને લેકો સુવર્ણકુલિકા નામે ઓળખવા લાગ્યા. એના એ દેવી સૌંદર્યની ખબર જ્યારે ઉજજયનીના ચંડ પ્રોતના સાંભળવામાં આવી, ત્યારે તે એના ઉપર મોહિત થયો અને એને મેળવવાના પ્રયત્ન કરવા લાગે. ગુપ્તચર દ્વારા પ્રોતને મનાભાવ દાસીના જાણવામાં આવનાં તે પણ એના ઉપર અનુરક્ત થઈ. આખરે એક રાત્રીએ પોતાના નલગિરિ નામે દેશપ્રસિહ હાથી ઉપર બેસીને ચંડપ્રોત ત્યાં આવ્યા, અને તે દાસીને ઉપાડી ગયા. જતી વખતે દાસી પિતાની સાથે પેલી મૂર્તિ લેતી ગઈ. બીજે દિવસે સવાર થતાં ઉદાયનને બધી વાતની ખબર પડી. તેણે ચંડપ્રલોતને કહાવ્યું કે, “તારે દાસીને રાખવી હેય તે ભલે રાખ; પરંતુ પેલી મૂર્તિ તે તારે પાછી મેકલવી જ પડશે.” ચંડપ્રલોતે આને કંઈ જવાબ ન આપો, આથી ઉદાયને તેના દેશ ઉ૫ર ચડાઈ કરી, અને તેને જીવતે પકડવો. પછી પિતાને દેશ પાછા ફરતાં ચેમાસાનું જોર વધવાથી એક ઠેકાણે સારું મેદાન જોઈ ઉદાયનના સન્ચે ચોમાસું વિતાવવા વ્યવસ્થિત પડાવ નાખ્યો. ચોમાસા દરમ્યાન જ્યારે પજુસણ ૧. તે વખતે તેને દશ વિભાગવાળા દશ પડાવ નાખેલા, ત્યાં પછી દશપુર ગામ વસ્યું, જે આજે મનસેર નામે ઓળખાય છે. - નામ - --- -
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy