SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ મહચ, કામદેવ અને ઉપાયન કામદેવ નામના ગૃહસ્થ પણ ગૃહસ્થધર્મની દીક્ષા મહાવીરસ્વામી પાસેથી લીધી હતી. તે ઘણો ધનવાન હતા. તેની પાસે છે હિરણ્યકેટી નિધાનમાં, છ વ્યાજે, અને છ ઘરવાપરમાં હતી. ઉપરાંત દશ હજાર ગાયને એક વ્રજ એવા છ વ્ર હતા. આનંદગૃહપતિની પેઠે મહાવીર પાસે શ્રાવકધર્મ સ્વીકારીને, કામદેવગૃહપતિ પણ પછીથી પિતાના મોટા પુત્ર, મિત્ર, જ્ઞાતિ, સ્વજનેને પૂછીને પૌષધશાળામાં જઈ, સ્વીકારેલી ધર્મપ્રાપ્તિ અનુસાર રહેવા લાગ્યો. ત્યાં એક વાર એક માયી અને મિથ્યાદષ્ટિ દેવ કામદેવને તેના ધ્યાનથી ચલિત કરવા માટે પિશાચનું રૂપ લઈ, ઉઘાડી તરવાર સાથે આવ્યા અને બે – હે અપ્રાચિંતના પ્રાથ, મેક્ષના તરસ્યા કામદેવ! તું આ તારાં શીલવ્રતને અને ગુણવ્રતને નહીં છોડી દે, તે આજે હમણાં જ તારા આ તરવારથી ટુકડેટુકડા કરી નાખીશ, જેથી તું અકાળે દુઃખી થઈને મરી જઈશ.' આ સાંભળીને કામદેવ જરા પણ ડગે નહીં અને મૌન ધારણ કરીને પોતાના ધ્યાનમાં સ્થિર રહ્યો. બે ત્રણવાર કહ્યા છતાં જ્યારે કામદેવે કશું ગણુકાયું નહીં, ત્યારે ક્રોધથી હોઠ પીસતાં દેવે ભવાં ચઢાવીને તે શ્રમણોપાસકને સારી પેઠે અસિવેદના કરી પરંતુ કામદેવે પિતાના ચિત્તમાં કિંચિત્માત્ર પણ ક્ષોભ થવા દીધા વિના તે વેદના સહી લીધી. છેવટે થાકીને તે દેવે મોટા હાથીનું રૂપ લીધું; અને મોટી ગર્જનાઓ કરતાં કરતાં તેણે કામદેવને સુંઢ વડે પકડી ખૂબ ઉછાળ્યો, અફાળે તથા ખૂaો. પણ કામદેવ જરા પણું ચલિત થયો નહિ. હવે થાકીને દેવે એક ભયંકર સર્પનું રૂપ લીધું અને કામદેવના શરીર ઉપર વીંટળાઈને તેને જોરથી ભરડા દીધે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy