SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાલીથા મહચંદ્રની માતા તા આ સાંભળતાં જ મૂતિ થઈને જમીન ઉપર ઢળી પડી. અનેક શીત ઉપચાર વડે ભાનમાં આવતાં તે રડતી રડતી તથા શાક કરતી પેાતાના પુત્રને તેના નિશ્ચયમાંથી પાછા ફેરવવા માટે સમજાવવા લાગી. પરંતુ તે કેમે કર્યો માન્યા નહિ. પછી ના- મને તેણે તેને રજા આપી. મહેંદ્ર પણ ભગવાન પાસે દીક્ષા લઈ, તેમની આજ્ઞા મુજબ વર્તવા લાગ્યા. તે મન-વાણી-કાયાની ક્રિયાઓમાં સાવધાન રહેતા; તેમને વશ રાખતા; ઈંદ્રયનિગ્રહ આચરતા તથા સુસ યતપણું બ્રહ્મચય ધારણ કરતા વિચરતા હતા. તેણે ભગવાનના વૃદ્ધ શિષ્યા (વિશ) પાસે શાસ્ત્રગ્રંથેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ત્યાર બાદ ચાર ટંક, આઠ ટંક વગેરેના ઉપવાસે વગેરે વિવિધ તપકમાં વિધિપૂર્વક આચરીને ઠીકઠીક આત્મશુદ્ધિ સાધી. એ પ્રમાણે ઘણાં વર્ષ શ્રમણુપણું પાળતાં પાળતાં જ્યારે એણે જોયું કે, હવે પેાતાનું શરીર અતિ કૃશ થઈ જવાથી વધુ કામ આપે તેવું રહ્યું નથી, ત્યાર તેણે મરતાં લગી ન ખાવાનું મારણાંતિક સલેખના વ્રત સ્વીકાર્યું. તથા પવિત્ર સ્થાનમાં જ તે, જંતુરહિત સ્થળે દાભનું બિછાનું બિછાવ્યું, અને આહારદિન ત્યાગ કર્યો. પછી જીવિત મરણની કામના ત્યાગીને, પેાતાના તપના બદલામાં અમુક ફળ મળે એવું કાંઈ નિદાન ( સંકલ્પ ) કર્યાં વિના તેણે રહેવા માંડયું. એ પ્રમાણે ૬૦ ટક ખાધા વિના વિતાવી, તથા અંતે જીવિત દરમ્યાન પાતે કરેલા દેાષાની કબૂલાત તથા પ્રાયશ્ચિત્તાદિ કરી લઈ, તે સમાધિપૂર્વક મરણ પામ્યા, અને દેવતિને પાસ થયા. ૩૧ ૨. કામદેવ ચંપામાંના ભગવાન મહાવીરના વાસ દરમ્યાન જ્યારે મહેદ્ર યુવરાજે ગૃહસ્થષની દીક્ષા લીધી, ત્યારે ત્યાંના
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy