SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મહચ, કામદેવ અને ઉદાયના ૩૦૫ આચરતે હતા, તથા વિવિધ તપકર્મ વડે આત્માને વાસિત કરતે વિહરતે હતા. એક વખત પૌષધવત દરમ્યાન ધર્મજાગરણ કરતા તે મધ્યરાત્રીને સમયે બેઠે હતો, તેવામાં તેને આ પ્રકારને સંકલ્પ થયોઃ “તે ગામ-નગર–વગેરે સ્થાનને ધન્ય છે, કે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તેમજ તે રાજા– શેઠ-સંઘવી આદિને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવાન મહાવીર પાસે ઘરબાર છોડી સાધુ થવાની દીક્ષા લે છે. હવે જે ભગવાન મહાવીર ફરતા ફરતા આ નગરમાં આવે, તે હું તેમની પાસે ધરબાર છોડી સાધુ થવાની દીક્ષા જરૂર લઉં.' બનવાકાળ તે ભગવાન એક ગામથી બીજે ગામ એમ ક્રમે ક્રમે ફરતા ફરતા ચંપા નગરીમાં જ આવી પહોંચ્યા. તેમને આવેલા જાણું નગરજન વગેરે સૌ તેમને દર્શને ગયાં. મહચંદ્રકુમાર પણ અત્યંત હર્ષિત થઈ તેમનાં દર્શને ગયો. પછી તેમના ધર્મોપદેશ સાંભળી, અત્યંત પ્રસન્નતા અનુભવતો, તથા તેમને ફરી ફરી નમસ્કાર કરી, તેમની વારંવાર ઉપાસના કરતા તે કહેવા લાગ્યાઃ “હે ભગવન ! તમારું કથન મને ગમ્યું છે; અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુકત થાઉં એમ ઈચ્છું છું. હે દેવાનુપ્રિય! હું મારાં માતપિતાની સંમતિ લઈ આવું અને પછી તમારા સહવાસમાં રહી, તમારી આજ્ઞા પ્રમાણે વતું.” ભગવાનને આ પ્રમાણે કહી, મહચંદ્રકુમાર રથમાં બેસી ઉતાવળો ઉતાવળો પોતાને ઘેર આવ્યો, તથા પોતાનાં માતપિતાને નમસ્કાર કરી કહેવા લાગ્યોઃ “હે માતપિતા ! આજે હું ભગવાન મહાવીર ઉપદેશ સાંભળી આવ્યો છું. તે મને ખૂબ ગમે છે. તેથી તેમના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને તેમના સહવાસમાં રહેવાની મને પ્રબળ ઇચ્છા છે. માટે તમે મને સાધુ થવાની રજા આપો.”
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy