SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦: શ્રી મહાવીર કથા યેગ્યકાળે જિતશત્રુ પિતાનું આયુષ્ય પૂરું કરી, આ ચંપા નગરીમાં દત રાજાને ત્યાં રક્તવતી દેવીની કુખે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. તે જ આ મહચંદ્ર. તેણે પિતાની આ માનુષી સંપત્તિ એ રીતે પ્રાપ્ત કરી છે. ત્યાર બાદ ભગવાન મહાવીર વગેરે યથાસમયે તે નગરમાંથી નીકળી ચાલ્યા ગયા. પેલો મહચંદ્ર ભગવાન મહાવીરના ગયા બાદ જેન ગૃહસ્થ (શ્રમણે પાસક)ના આચારવિચાર વિધિપૂર્વક પાળવા લાગ્યો. તેણે જીવ શું, અજીવ શું, વગેરે ધર્મસિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તથા પાપ-પુણ્ય એટલે શું, પાપકર્મ શાથી બંધાય છે, તેને કેવી રીતે રોકી શકાય, કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે, કઈ અશુભ છે, તેમજ જીવનવ્યવહારનાં વિવિધ સાધનેમાંથી કયાં સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે, એ બધાની સમજ તેણે પ્રાપ્ત કરી. કોઈ પણ કાર્યમાં તે બીજાની આશા ઉપર નિર્ભર રહેતો નહોતો. તેમજ કાઈથી તે ગાંજ્યો જાય તે નહોતા. જૈન સિદ્ધાંતમાં તે એવો ચુસ્ત બન્યો કે, દેવ વગેરે આવીને તેને ગમે તેટલે ભમાવે, તે પણ તે ભમે નહીં. તેને જેન સિદ્ધાંતમાં વર્ણવેલ તો બાબત શંકા નહતી, કે તેમાં જણાવેલા આચાર બાબત વિચિકિત્સા નહોતી. તેણે શાસ્ત્રાધ્યયન કરી, તેના અર્થને નિશ્ચિત કર્યો હતો. જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલે હોવાથી તે એમ કહે કે, “એ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂ૫ છે; બાકી બધું અનર્થરૂપ છે !' તેની ઉદારતાને કારણે તેના દરવાજાના આગળા હંમેશાં ઊંચા જ રહેતા, અને તેનું આંગણું જ્યારે-ત્યારે જમી ઊઠેલાઓના એઠવાડવાળું જ હતું. તે એ પવિત્ર ચારિત્રવાળો હતો કે કોઈના અંતઃપુરમાં તે જતો તો કોઈને કશી જ શંકા આવતી નહોતી. પિતે લીધેલાં બધાં વ્રતો તે બરાબર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy