SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મહચક, કામદેવ અને ઉદાયન હે ગૌતમ! પૂર્વે અહીં જ ભારતવર્ષમાં તિમિચ્છા નામે નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. એક વખત ધર્મવીર્ય સ્થવિર ફરતા ફરતા તેને નગરમાં આવી ચડડ્યા. તે જાતિલ અલ-રૂપનવિનય-જ્ઞાન-દર્શન- અને ચારિત્રયુક્ત હતા; લજજાળુ-નઝ-ઓજસ્વી-તેજસ્વી-પ્રતાપી- અને કીર્તિમાન હતા; ક્રોધ-માન-માયા-લોભ-નિદ્રા-ઈદ્રિયો-સંકટ- તથા વિઘોને પાર કરનાર હતા; જીવવાની દરકાર વિનાના તથા મરણની બીક વિનાના હતા; તથા જ્ઞાનાદિની બાબતમાં મહાભંડારરૂપ હતા. વળી તે તપસ્વી હતા, ગુણવંત હતા, નિર્દોષ ભિક્ષાચયથી જીવનારા હતા; સુવતી, નિગ્રહપ્રધાન, તથા નિશ્ચયપ્રધાન હતા; ક્ષમા મુક્તિ-વિવા-હાચર્યમનિયમ સત્યપવિત્રતા તથા સુબુદ્ધિથી યુક્ત હતા; વળી તે મુનિ શુદ્ધિમાં હેતુરૂ૫, સર્વ જીવોના મિત્ર, તપના ફળની આકાંક્ષા વિનાના, અચંચળ, સંયમરત, સાધુપણામાં લીન, તથા દોષરહિત પ્રશ્નોત્તરવાળા હતા. નગરમાં ભિક્ષા માટે ફરતાં ફરતાં તે જિતશત્રુને ત્યાં આવી ચડડ્યા. તેમને આવતા જોઈ તેમની તેજસ્વિતા, તથા પવિત્રતાથી અંજાઈ, જિતશત્રુ રાજા અત્યંત પ્રસન્ન તથા સંતુષ્ટ થઈ ભક્તિભાવપૂર્વક આસનેથી ઝટ ઊભો થયો અને પાદપીઠ ઉપરથી નીચે ઊતર્યો; પછી સાત પગલાં સામા જઈ, ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેણે તેમને નમસ્કાર કર્યો. ત્યાર બાદ તેમની અન્નપાનાદિથી સેવા કરવાને પ્રસંગ મળવાથી હર્ષિત થતો થતા તે અંતઃપુરમાં ગયો, અને ત્રણ પ્રકારે નિર્દોષ અન્નપાન મનવાણું-કાયાની શુદ્ધતાપૂર્વક તેમને અપને તેણે તેમને સત્કાર કર્યો. એ મહાપવિત્ર મુનિ પ્રત્યે તેણે દાખવેલા એ સેવાભાવ અને ભક્તિભાવથી તરત તેને સંસારભ્રમણને કાળ મર્યાદિત બની ગયે; અને તેને બીજા જન્મમાં પણ મનુષ્યદેહ મળે તેમ થયું. દેવો પણ તેના મનુષ્યજન્મને અને તેને પુણ્યશાળીપણને અભિનંદવા લાગ્યા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy