SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. મહચંદ્ર, કામદેવ અને ઉદાયન ૧. મહચંદ્ર [૧૬ મું ચોમાસું રાજગૃહમાં પોતાના કેવળજ્ઞાન પછીના ચોથા વર્ષવાસને પૂરે કરી, મહાવીર ત્યાંથી ચંપાનગરી તરફ ચાલી નીકળ્યા. ત્યાં દર રાજા અને રક્તવતી દેવીને પુત્ર મહચંદ્ર કુમાર યુવરાજ તેમના ધર્મોપદેશથી બેધ પામી, તેમની પાસેથી ગૃહસ્થધર્મનાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત – એમ બાર વ્રતો સ્વીકારી ગયે. તેને શ્રીકાંતા પટરાણુ સહિત સમાન ઉમર-રૂપલાવયૌવન-ગુણ- અને કુળવાળી પાંચસો સ્ત્રીઓ હતી. રાજારાણીએ તે દરેક સ્ત્રી દીઠ જુદાજુદા સુંદર મહેલ બનાવી આપ્યા હતા, તથા તેમને પુષ્કળ સુવર્ણ, વાહન તથા દાસ-દાસી પ્રતિદાનમાં આપ્યાં હતાં. યુવાન મહચંદ્ર તે બધી સ્ત્રીઓ સાથે ઉત્તમ કામભોગો ભોગવતે વિહરતો હતો. વ્રત સ્વીકારીને તે ચાલ્યો ગયો ત્યાર બાદ ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમે ભગવાનને પૂછયું: “હે ભગવન્! આ મહચંદ્ર કુમાર મને બહુ ઈષ્ટ, કાંત, પ્રિય, મનને ગમે તે, મન ચિતવ્યા કરે તેવો, સૌમ્ય, વલભ, પ્રિયદર્શન, તથા સુરૂપ લાગે છે. બીજા અનેક લોકો પણ તેને તેવો જ માને છે તે હે ભગવન! આ મહચદ્રકુમારે આ પ્રકારની માનુષી સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરી છે?” ભગવાને જવાબમાં મહચંદ્રકુમારને પૂર્વજન્મની કથા આ પ્રમાણે કહી સંભળાવીઃ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy