SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી મહાવીર કથા એવામાં એક મહિનાના ઉપવાસવાળા કોઈ મુનિ પારણા માટે ભિક્ષા માગતા ત્યાં આવ્યા. તેમને ભૂખ્યા તથા દુર્બળ જોઈ, સંગમકને તેમના ઉપર દયા આવી; અને તેણે પિતાની થાળી ભરેલી ખીર તેમને આપી દીધી. ત્યાર બાદ મુનિ તેના ઉપર કૃપાભરેલી નજર કરતા કરતા ચાલ્યા ગયા. મુનિ ચાલ્યા ગયા, ત્યાર બાદ ધન્યા સંગમક પાસે આવી. તેના થાળમાં ખીર ન દેખવાથી, તેણે “પુત્ર જ ખાઈ ગયે હશે”, એમ માની બીજી ખીર તેની થાળીમાં પીરસી. તે ખીર ગળા સુધી ઠાંસીને અકરાંતિયાપણે ખાવાથી અજીર્ણ વડે તે સંગમક તે જ રાત્રે મરણ પામ્યો, અને દાનના પ્રભાવથી રાજગૃહ નગરમાં ગાભક શેઠને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. એ પુત્ર જ તમે– શાલિભદ્ર. એ પ્રમાણે એ ગોવાળણું તમારી માતા જ હતી. કર્મફળની વિચિત્રતા વિચારતા શાલિભદ્ર ત્યાર પછી ધન્ય મુનિ સાથે છેવટનું અનશન વ્રત સ્વીકારી વૈભારગિરિ ઉપર ચાલ્યા ગયા. તે જ અરસામાં શ્રેણિક રાજા, ભદ્રા શેઠાણી વગેરે મહાવીર પાસે પહોંચ્યાં. ભદ્રાએ ભગવાનને નમસ્કાર કરી, શાલિભદ્ર ક્યાં છે, એમ પૂછયું. ભગવાને કહ્યું, તે તમારે ત્યાં ભિક્ષા માગવા આવેલા, પણ તમે અહીં આવવાની ધમાલમાં તેમને જોયા કર્યું નહીં; પછી તેમને તેમની પૂર્વજન્મની માતા ગોવાળણે દહીંનું પારણું કરાવ્યું. ત્યાર પછી અહીં આવી, મારી પાસે અંતિમ અનશન વ્રત સ્વીકારી, સંસારથી છૂટવા તેઓ હમણાં જ વૈભાર પર્વત ઉપર ચાલ્યા ગયા છે. અંતિમ અનશનની વાત સાંભળી ફાટતે હદયે ભદ્રા શ્રેણિક રાજા સાથે વૈભારગિરિ ઉપર આવી. ત્યાં અનશન વ્રત લઈને પાષાણની પેઠે (અથવા વૃક્ષના મૂણકાની પેઠે) સ્થિર પડેલા તે મુનિઓને જોઈ ભદ્રા પિતાના કલ્પાંતથી વૈભારગિરિને પણ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy