SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સાર ધન્ય અને શાલિભ બંને જણા ભદ્રાશેઠાણીના ધર આગળ આવીને ઊભા રહ્યા. પશુ તપસ્યાથી આવેલી અત્યત કૃશતાને કારણે તેમને કાઈ એ એળખ્યા નહિ. અને ભદ્રા તે મહાવીર સાથે શાલિભદ્ર અને ધન્ય પશુ આવ્યા હશે, તે ખ્યાલથી મહાવીરને ઉતારે જલદી પહેાંચી જવા ભાનભૂલી થઈ ગઈ હતી, એટલે તેણે તેમના તરફ નજર પણ કરી નહિ. થોડી વાર ત્યાં ઊભા રહી, અને મુનિ પાછા વળ્યા. તે નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા, તેવામાં નગરમાં દહીં-થી વેચવા આવતી એક ગે!વાલણી તેમને સામી મળી. શાલિભદ્રને જોઈ, તેનામાં કાઈ અપૂર્વ વાત્સલ્યભાવ પ્રગટી આવ્યા, અને તેણે બંને મુનિને પ્રેમથી દહીં ખવરાવ્યું. ત્યાંથી તે તે સુનિ મહાવીર પાસે પાછા આવ્યા. શાલિભદ્રે ભગવાનને નમસ્કાર કરીને પૂછ્યું, ‘ભગવન્ ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી પારણા માટે આહાર કેમ ન મળ્યા ? ’ 6 ભગવાન મેલ્યા હું મુનિ ! તમને દહીં ખવરાવનારી ગાવાળણુ તમારી પૂર્વભવની માતા જ હતી. પૂર્વભવમાં તમે આ રાજગૃહની નજીકના શાલી ગામની એ ધન્યા નામની ગાવાળષ્ણુના સગમક નામના એકના એક પુત્ર હતા. તેના કાકીતે। બધા વંશ ઉચ્છેદ પામ્યા હતા. સંગમક નગરજતાનાં ઢાર ચારતા. એક વખત ઢાઈ ઉન્નણીના પ્રસંગ આવતાં ઘેર ઘેર ખીરનું ભેાજન થયું. બીજા છેાકરાંને ખીર ખાતાં જોઈ સંગમક ધેર આવી માતા પાસે ખીર માગવા લાગ્યા. પેાતાની સ્થિતિ ખીર ખવરાવાય તેવી ન હોવાથી ધન્યા ગાવાળણુને બહુ એછું આવ્યું અને તે રડવા લાગી. પડાશણાએ તેનું રડવાનું કારણ જાણી, દયાભાવથી થોડુ ઘેાડુ દૂધ વગેરે પદાર્થી તેને ખીર બનાવવા આપ્યા. તે બધાની તેણે ખીર બનાવી. પછી એક થાળમાં તેમાંથી ઘેાડી ખીર સંગમકને પીરસીને તે ઘરકામમાં ગુથાઈ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy