SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ઢ કી મહાવીરકથા પેાતાના ભાઈએ કરેલા કઠાર નિય રડતાં રડતાં કહેવા લાગી. ત્યારે તેના પતિએ તેની મશ્કરી કરીને કહ્યું કે, એમ રાજ એક એક સ્ત્રી અને પથારી છેડનારાથી સાધુ ન થવાય. ત્યારે તેની સ્ત્રીએ ગુસ્સામાં આવી સામેા ટાણા માર્યાં કે, જો સાધુ થવું તમને એટલું બધું સહેલું લાગતું હુંય તે તમે જ મ થતા નથી ? આ સાંભળતાં, તે તે। તરત જ ઘર છેડી ચાલી નીકળ્યા, અને રાજગૃહમાં આવેલા મહાવીર ભગવાન પાસે જઈને તેણે દીક્ષા ધારણ કરી લીધી. શાલિભદ્રને આ વાતની ખબર પડતાં, તે પણ બધું તરત ત્યાગીને ત્યાં ચાલ્યા આવ્યેા, અને ભગવાન પાસે દીક્ષિત થયા. ત્યાર પછીની તે મેની વાત પશુ અહીં જ પૂરી કરતા જઈ એ. તે બંને મુનિ શાસ્ત્રગ્રંથાનું વિધિપૂર્વક અધ્યયન કરી અહુશ્રુત થયા, અને ખાની ધાર જેવાં તીક્ષ્ણ તપ કરવા લાગ્યા. શરીરની કિંચિત પણ અપેક્ષા વિનાના થઈ તેઓ પખવાડિયું, માસ, એ માસ, ત્રણ માસ અને ચાર માસના પશુ ઉપવાસ કરતા. તેવી ઉગ્ર તપસ્યાથી માંસ અને રુધિર વગરના શરીરવાળા થયેલા તે બને ચામડાની ધમણુ જેવા જ દેખાવા લાગ્યા. કેટલેક કાળે ક્રૂરતા ફરતા તેએા શ્રી વીર ભગવાનની સાથે એક વાર પાતાની જન્મભૂમિ રાજગૃહ નગરમાં આવી પડેોંચ્યા. તે અવસરે પેાતે કરેલા મહિનાના ઉપવાસનું પારણું કરવા માટે ભિક્ષા માગવા જવાની રજા લેવા તે અને મુનિ ભગવાન પાસે આવ્યા. ત્યારે ભગવાને શાલિભદ્રને કહ્યું કે, આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થવાનું છે. હું પણુ એ જ ઇચ્છું છું,' કહીને શાભિદ્ર મુનિ ધન્ય મુનિ સાથે નગરમાં ગયા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy