SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય અને સાહિબદ્ધ માતાને મુખે પહેલવહેલે આ “જઈ એ' શબ્દ સાંભળી શાલિભદ્રનું મન ઉદાસ થઈ ગયું. તેને લાગ્યું કે આવી પરાધીનતામાં આ બધાં સુખ ભોગવવાને કશે અર્થ નથી! પોતાને જ્યાં સુધી કઈ પણ બીજા માણસની પરાધીનતા હોય, ત્યાં સુધી બધું સુખ એ નામનું જ સુખ છે. સુખ તે તેનું નામ કે જેમાં કેઈની કશી તાબેદારી ઉઠાવવાની ન હોય. તે તમને રાજા પાસે આવ્યું અને નમસ્કાર કરી તરત ઉપર ચાલ્યા ગયા. પરંતુ તેના મનમાં આ વાતને ડંખ તે રહી જ ગયે. એક વખત ધર્મષ મુનિને રાજગૃહ નગરમાં પધારેલા સાંભળી, તથા રાજા વગેરે સૌને તેમનાં દર્શને જતાં જાણું, શાલિભદ્ર તેમનાં દર્શને ગય; કે જેથી રાજા પણ જેને નમે છે એવા મુનિ થવાનો માર્ગ પિતાને શીખવા મળે! ધર્મઘોષ મુનિએ કરેલા ધર્મોપદેશથી તેને બધાં સાંસારિક સુખોની મર્યાદા, દુઃખપરિણામિતા, વિનશ્વરતા વગેરે સમજાઈ ગયાં. તે તરત માતા પાસે દીક્ષા લેવાની પરવાનગી માગવા આવ્યો. માતાએ તેની ધૂન જોઈ તથા તે ધૂનને વ્યર્થ કરવામાં પિતાની નિરુપાયતા જોઈ, તેને સમજાવીને કહ્યું કે, તારા વિચાર સાચો તેમ જ સારે છે; પરંતુ બધી વસ્તુઓને તું એકદમ ત્યાગવા જઈશ તે નાહક દુઃખી થઈશ. તેના કરતાં તું રોજ થોડી થેલી વસ્તુઓને ત્યાગ કરી, ટેવાતો જા. ત્યાર બાદ કઠોર જીવનને પૂરતો પરિચય થયા પછી બધું ત્યાગી દેજે. શાલિભદ્રને પણ માતાનું કહેવું વજૂદ ભરેલું લાગ્યું. એટલે તેણે રોજ એક એક સ્ત્રી ત્યાગતા જવાનો નિશ્ચય કર્યો; અને તે પ્રમાણે કરવા પણ માંડયું. શાલિભદ્રની નાની બહેન તે જ નગરમાં પરણાવેલી હતી. તે આ ખબરથી દુઃખી થઈ, પોતાના પતિ ધન્ય આગળ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy