SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ તરફ વાણિજ્યગ્રામ પાસે ઈશાન ખૂણામાં છેલ્લાક નામે સંનિવેશ હતો. તેમાં આનંદના મિત્રો, જ્ઞાતિઓ, અને સગાંસંબંધીઓ રહેતાં હતાં. (અર્થાત આનંદ ગૃહપતિ જ્ઞાતૃવંશી ક્ષત્રિય હતો. ભગવાન મહાવીર પણ તે જ વંશના તથા તે સ્થળના હતા, એ વસ્તુ યાદ દેવડાવવાની જરૂર ભાગે જ હોય) ભગવાન આવ્યાની વાત જાણી, આનંદ ગૃહપતિ બધાઓની સાથે ભગવાનનાં દર્શને ગયો. ત્યાં તેમનું પ્રવચન સાંભળી, તે હષ્ટ, તુષ્ટ અને પ્રસન્ન થયા. તેણે ભગવાનને કહ્યું: હે ભગવન્! મને તમારા પ્રવચનમાં શ્રદ્ધા થઈ છે, પ્રીતિ થઈ છે, અને રુચિ થઈ છે. તમે જે કહે છે, તે મને યથાર્થ લાગે છે. બીજા અનેક મુમુક્ષુ આપનું પ્રવચન સાંભળી, આપના અંતેવાસી થવા પ્રયત્ન કરે છે, તેમ કરવાનું મારામાં સામર્થ નથી. પરંતુ આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતવાળા* બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકારવાને મારે મરથ છે. ભગવાને કહ્યુંઃ હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર. ત્યારબાદ આનંદ ગૃહપતિએ શ્રમણ ભગવાન મહાવીર પાસે જીવતા સુધી મનવચન-કાયાથી સ્થૂલ હિંસા, પૂલ અસત્ય તથા પૂલ ચૌર્ય ન આચરવાની તેમજ બીજા પાસે ન આચરાવવાની પ્રતિજ્ઞા લીધી; સ્વદારતેવવ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી, અને પોતાની ઈચ્છાઓને મર્યાદિત કરવાની પ્રતિજ્ઞા લીધી. પિતાની ઇચ્છાઓને મર્યાદિત કરવા માટે ઇચ્છાવિધિનું પરિમાણુ તેણે નીચે મુજબ કર્યું – છે જુઓ આગળ પા. ૨૬૪ ઈ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy