SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે ઉદાર (આશા વિનાના), વિરતીર્ણ, કલ્યાણર૫, મંગળરૂ૫, શોભાયુક્ત, ઉત્તમ, ઉવળ અને મોટા પ્રભાવવાળા તપકર્મથી તે મુનિએ શુષ્ક થઈ ગયા, અને પ્રભાવે સરખા થઈ ગયા, માંસરહિત થયા, તથા હાડકાં ઉપર માત્ર ચામડાથી જ ઢંકાયેલા રહ્યા. તે ચાલતા ત્યારે તેમના શરીરનાં બધાં હાડકાં ખડખડતાં. તેમના શરીરની બધી નાડીઓ ઉપર તરી આવી હતી. તે માત્ર આત્મબળથી જ ચાલવું એવું વગેરે ક્રિયાઓ કરી શકતા. તે એટલા બધા દુર્બળ થઈ ગયા હતા કે બોલી સ્યા પછી અને એલતાં બોલતાં તથા બાલવાનું કામ પડે ત્યારે પણ કાનિ પામતા. સૂકાં પાંદડાં, તલ કે તેવા સકા સામાનથી ભરેલી ગાડીને કેાઈ સડે, ત્યારે જે અવાજ થાય, તે જ આવાજ તે મુનિ ચાલતા ત્યારે પણ થતા. તે મુનિએ તપથી પુષ્ટ હતા; જે કે માંસ અને લોહીથી ક્ષીણ હતા. તેમ છતાં રાખમાં ભારેલા અગ્નિની જેમ તપ અને તેજયુકત હતા. છેવટે પિતાને આ પ્રકારે દુર્બળ થઈ ગયેલા જાણું તથા હજુ પણ જ્યાં સુધી પિતામાં ઊઠવાની શક્તિ, કર્મ, બળ, વીર્ય, અને પુરુષકાર-પરાક્રમ છે ત્યાં સુધી ભગવાન પાસે જઈ અનશન વ્રત સ્વીકારવાનું થાય માની, તેઓએ તેમ કર્યું અને તેમની અનુમતિ પ્રાપ્ત કરી, પાંચ મહાવ્રતો ફરી ધારણ કરી, શ્રમણ-શ્રમણીઓની ક્ષમા માગી, ઉત્તમ સ્થવિરે સાથે વિપુલ પવત ઉપર જઈ, કઈ કાળી શિલા જોઈતપાસી, તેના ઉપર દાળને સાથરે પાથરી, ખાનપાનને ત્યાગ કરી, તેમણે મારણાંતિક સલોનના વ્રત સ્વીકાર્યું અને એ રીતે સાઠ ટક વિતાવી પિતે કરેલા દેની કબૂલાત (આલેચના) અને પ્રાયશ્ચિતાદિ કરી, તે મુનિઓ સમાહિત અવસ્થામાં મરણ પામ્યા. આ બંને મુનિઓની કથા સમાન હોવાથી સાથે જ કહી, પરંતુ તે બેમાંથી સુમને ભદ્રના સાધુપણાને કાળ “વણાં વર્ષ'ને ગણો, અને સુપ્રતિષને “સત્તાવીસ વર્ષને ગણવે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy