SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા વા પ્રત્યે ધ્યાપૂર્વક વર્તવા લાગ્યા. ભંધી શારીરિક, માનસિક કુવાસિક ક્રિયાઓમાં તે સાવધાન રહેતા તથા કાળથી વતા; મન-વાણી-કાયાને વશ રાખતા; ઇંદ્રિયાને વશ રાખતા; તથા સુસયતપણે બ્રહ્મચર્ય ધારણ કરી વિચરતા. તેઓ ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાવાન (સહનશીલ), જિતેંદ્રિય, શુદ્ધતી, કાઈ પ્રકારની ફ્ળાકાંક્ષા (નિદાન) વિનાના, તથા સુંદર સાધુપણામાં વીન અને દુશ્મનશીલ હતા. તેમણે ભગવાનના વિશ પાસેથી અગિયાર અગા શીખી લીધાં. ત્યાર બાદ એક વાર ભગવાન પાસે જઈ, તેમણે કહ્યું: હે ભગવન્! જો આપ અનુમતિ આપે, તે અમે ગુણરત્ન સંવત્સર' નામે તપ ધારણ કરવા ઇચ્છીએ છીએ.' " ભગવાને કર્યું, તમને જેમ ઠીક લાગે તેમ કરી; કશા વાંધો ન ગણુા.’ પછી તેએાએ ભગવાનની અનુમતિથી નીચે પ્રમાણે ગુણરત્ન તપ આયુ : પહેલા માસમાં સતત ચાર-ચાર ટેકના ઉપવાસ કર્યો. તે વખતે દિવસ દરમ્યાન સૂર્યની સામે નજર માંડી, તડકા આવતા હોય તેવી જગામાં તેએ ઉભડક૧ બેસી રહેતા, તથા રાત્રીએ કાંઈ પણ વસ્ત્ર એવા કે પહેર્યો વિના વીરાસને બેસી રહેતા. પછી ખીજે મહિને તે જ પ્રમાણે ૭૦ ટકના ઉપવાસ કર્યો; ત્રીજે મહિને આઠ-આઠ ટ કના; ચેાથે મહિને દશ-દશ ઢંકના ...એમ અનુક્રમે મેળમે માસે ચેત્રીસ ટકના ઉપવાસ કર્યો. દિવસ અને રાત દરમ્યાન જે રીતે બેસવાનું શરૂઆતમાં જણુાવ્યું છે, તે તો કાયમ જ હતું. ૧. નિતંબના ભાગ જમીનને ન અડકે તેમ. ૨. સિદ્ધાસન વિના જ, સિહાસન ઉપર બેઠા હોય તેમ ઊભા હેલું તે. 3. વધુ વિગત માટે જુઓ આ માળાનું ‘ ભગવતીસાર ′ પા. ૧૮૨.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy