SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ચંડપ્રલોતે માન્યું કે બળાત્કારે રીના પ્રેમ મેળવાય નહીં તેના કરતાં તે પોતે શીથી આપણને વશ થવા ઇચછે જ છે, તે થોડો વખત ની જવામાં કશું ખોટું નથી. એટલે યોગ્ય બંદોબસ્ત કરી, તત્કાળ તો તે સ્વદેશ પાછો ચાલ્યો ગયો. આ અરસામાં મહાવીર કૌશાંબી પધાર્યા. બધા તેમનાં દર્શને નીકળ્યા. ઉદયન કુમાર પિતાની માતા મૃગાવતી, તથા ફેઈ જયંતીને લઈને તેમનાં દર્શને ગયે. દર્શનાદિ કરીને, તથા ધર્મકથા સાંભળ્યા બાદ, બધા લોકે સાથે ઉદયન અને મૃગાવતી પાછા . પરંતુ જયંતી તે ભગવાનને અમુક શંકાઓનું નિરાકરણ પૂછવા પાછળ રહી. એ આખો પ્રસંગ ભગવતીસૂત્ર શતક ૧૨, ઉ૦ ૨ માં નીચે પ્રમાણે સચવાઈ રહ્યો છે:-- જયંતીઃ ભગવન! છ ભારેપણું સાથી પામે? ભગવાન: હે જયંતી! હિંસા વડે, અસત્ય વાણી વડે, ચોરી વડે, એથુન વડે, પહિ વડે, કોઈ વડે, માન વડે, માયા વડે, લેખ વડે, રાગ વડે, ઠેલ વડે, કલહ વડે, અભ્યાખ્યાન (મિથ્યા આળ દેવા) વડે, ચાડી ખાવા વડે, અરતિ અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક ખોટું થવા વડે, અને અવિવેક (મિધ્યાહનવ્ય) વડે જીવો ભારેપણુ પામે છે. એ હિંસાદિ આહાર પાપસ્થાને ન ત્યાગનારને સંસાર વધે છે, લાંબા થાય છે, તથા તે સંસારમાં જમા કરે છે; પરંતુ તેમાંથી નિવૃત્ત થનારને સંસાર ઘટે છે, ટૂંકે થાય છે, અને તે સંસારને ઓળંગી જાય છે. હળવાપણું, સંસારને ઘટાડવા, સંસારને ટુંકે કરવા, અને સંસારને એગ, એ ચાર વાનાં પ્રશસ્ત છે; તથા ભારેપણું, સંસારને વધારવો, સંસારને લાંબો કરવો અને સંસારમાં ભમવું એ અપ્રસ્ત છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy