SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શહાવીર કથા પર પેલે પામેલ ચિત્રકાર હવે તેનું વેર લેવાના ઇરાદાથી અવંતી દેશમાં ગયા, અને ત્યાં શતાનીક રાજાની સ્વરૂપવતી રાણી મૃગાવતીનું આબેહૂબ ચિત્ર દેરી, તેણે અવંતીના રાજ ચંડમોતને ભેટ ધર્યું. ચંડપ્રોત ઉપર તેની ધારી અસર થઈ અને તેણે, “આ કેનું ચિત્ર છે' એવું ચિત્રકારને પૂછ્યું. ચિત્રકારે તેને બધી માહિતી બરાબર ગોઠવીને આપી; એટલે તેણે ધાર્યું હતું તેમ ચંડપોતે તરત શતાનીકને મૃગાવતી સોંપી દેવાનું કે લડાઈ માટે તૈયાર થવાનું કહેણ મોકલ્યું. કઈ પણ ક્ષત્રિય આવી માગણું સહેજે કબૂલ રાખે જ નહીં; એટલે ચંડલોતે વસંદેશ ઉપર ચડાઈ કરી. લડાઈ ચાલતી હતી તેવામાં શતાનીક અતિસારના રોગથી પીડાઈને મરણ પામ્યો. આ વખતે શતાનીકના પુત્ર ઉદયનકુમારની ઉમર બહુ નાની હતી. એટલે રાજકારભાર તેમ જ યુહની બધી જવાબદારી વિધવા મૃગાવતી ઉપર આવી પડી. તેણે હવે વખત વિચારી કોઈ પણ ઉપાયે ચંડપ્રાતને સમજાવીને પાછો કાઢવાનો પ્રયત્ન કરવા માંડો; જેથી તે દરમ્યાન ઉદયન મેટો થઈ જાય. શતાનીકના મરણને થાડા માસ વીત્યા ન વીત્યા તેવામાં ચંડપ્રલોતે પિતાની સાથે લગ્ન કરવાનું કહેણ મૃગાવતીને મોકલ્યું. મૃગાવતીએ તે વખતે એક યુકિત લડાવી. તેણે જવાબ મેકલાવ્યો કે, તમે આ યુદ્ધ કાંઈ વત્સ દેશ જીતવા માટે માંડયું નથી; માત્ર મને મેળવવા માંડયું છે. હવે તે હું તથા આ વત્સ દેશ તમારાં જ છીએ. પરંતુ મારી એક વિનંતિ છે કે, મારે આ ઉદયનકુમાર મેટ થઈ વત્સ દેશનું રાજ્ય સંભાળી લે, ત્યાં સુધી તમે ભી જાઓ. ત્યાર બાદ હું મારી ખુશીથી તમારે શરણ આવીશ. ત્યાં સુધી બીજે કે રાજ ચડી ન આવે તે માટે કૌશાંબાને કેટ-કિલો તથા શસ્ત્રસરંજામથી સુસજિત કરવાની પરવાનગી આપે, તથા તમે પોતે જ તેમાં સહાય કરે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy