SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ તરી કારણ જાણી લઈ પેલા યુવાન તેને સમજાવીને તેના પુત્રને બદલે જાતે ચિત્ર - ચીતરવા ગયા. ત્યાં તપ, પાવિત્ર્ય, વિનય, કૌશલ્ય આદિથી યક્ષને ખુશ કરી, તેણે તેની પાસે ચિત્રકારોના નાશ હવેથી ન કરવાનું વરદાન માગી લીધું. ખુશ થયેલા યક્ષે તે ઉપરાંત પણ બીજે વર માગવાનું કહેતાં, તે યુવાને એવા વર માગ્યા કે, મનુષ્ય, પશુ કે બીજા કાઈ ના પશુ એક અશ જોઉં, તેટલા ઉપરથી તેના આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થા યક્ષે તથાસ્તુ પ્રેમ કહ્યું, એટલે પેલા યુવાન કૌશાંબી પાછે! કર્યો. તે વખતે રાજા એક ચિત્રસલા ચિતરાવતા હતા. પેલા યુવાન પણ તે કામે લાગ્યા. એવામાં પાસેની જાળીમાંથી તેની નજરે મૃગાવતી દેવીના પગને અંગૂઠા પડ્યા. પેાતાની સિદ્ધિને ખળે તેણે તેટલા ઉપરથી મગાવતીનું આખું ચિત્ર દાયું. છેવટે રાણીનાં નેત્રમાં કાળા રંગ પૂરતાં, તેની પીછીમાંથી એક ટપકું રાણીના ચિત્રના સાથળના ભાગ ઉપર પડવુ. તે તેણે તરત લૂછી લીધું. પશુ તેવું ટપકું ત્યાં જ પાછું ફરી પડ્યું. એમ ત્રણુ વાર બન્યું ત્યારે ચિત્રકારે વિચાર્યું કે જરૂર રાણીના ઉરુભાગમાં આવું લાંછન જ હશે, જેથી આમ બને છે. એવામાં શતાનીક રાજા ત્યાં ચિત્ર જોતા જોતા આવ્યેા. મૃગાવતીના ચિત્રમાં સાથળ ઉપર જ રાણીને વસ્તુતાએ હતું તેવું જ ચિહ્ન ચિત્રકારે ચીતરેલું જોઇ, રાજાને એની ઉપર વહેમ આવ્યેા. વસ્ત્રની અંદર રહેતુ સાથળ ઉપરનું ચિહ્ન આ ચિત્રકાર કથાંથી જાણે? એ ઉપરથી તેને પ્રાણદંડ દેવા રાજાએ તરત અંગરક્ષકા મેલાવ્યા. પછી જ્યારે રાજ્યને વારવાર સચાવવામા આબ્યા કે, યક્ષના પ્રસાદથી આ ચિત્રકાર થાડા અંશ ઉપરથી પશુ આખું ચિત્ર દોરી શકે છે, ત્યારે રાજાએ તે વાતની કમેટી કરી જોઈ, તેને માંડ જીવતા જવા દીધે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy