SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વત્સદેશ તરફ ૧. જતી હોય [૧૪મું ચોમાસું] કેવળજ્ઞાન થયા પછી બીજે ચાતુર્માસ ત્યાં વૈશાલીમાં જ વિતાવીને ભગવાન વત્સદેશ તરફ ચાલ્યા. વત્સદેશમાં કેવલજ્ઞાન થતા પહેલાં જ્યારે મહાવીર ગયા હતા, ત્યારે ત્યાં શતાનીક રાજા રાજ્ય કરતો હતો, એવું આપણે આગળ જઈ આવ્યા છીએ [પા. ૧૮૮]. તેનું લગ્ન ચેટકની પુત્રી મૃગાવતી વેરે થયું હતું અને તેને ઉદયન નામે કુંવર જન્મ્યો હતો. સાતપુર નામે નગરમાં સુરપ્રિય નામે યક્ષનું દેવાલય હતું. ત્યાં પ્રતિવર્ષ તેની પ્રતિમા ચિતરાવીને લોકે મહત્સવ કરતા હતા. પરંતુ દર વર્ષે તે યક્ષ પિતાનું ચિત્ર ચીતરનાર ચિત્રકારને ભોગ લેતો હતો; આથી તે નગરમાંથી ચિત્રકારો પલાયન કરવા લાગ્યા. યક્ષના ચિત્રમહત્સવને અભાવે પ્રજામાં મહામારી ઉત્પન્ન થવાના ભયથી રાજાએ તેમને જતા અટકાવ્યા. અને તે સર્વેનાં નામ લખી, એક ઘડામાં બધી ચિઠ્ઠીઓ નાખીને તેમાંથી એક ચિઠ્ઠી કાઢતાં જેનું નામ આવે, તેણે તે વર્ષે યક્ષ ચીતરવો એ ઠરાવ કર્યો. કેટલાક કાળ ગયા બાદ કૌશાંબી નગરીમાંથી કોઈ ચિત્રકારનો પુત્ર ચિત્રકળા શીખવા માટે સાકેતપુર આવ્યો અને ત્યાંના કોઈ ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઊતર્યો. તેને તે વૃદ્ધાના પુત્ર સાથે મૈત્રી થઈ. તે વર્ષ યક્ષનું ચિત્ર ચીતરવાનો વારો તે વૃહાના પુત્રને આવ્યો. આથી તે શેક કરવા લાગી. તેને શેકનું
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy