SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહ તરી અને અત્યારના તમારા પ્રત્યક્ષ અનુભવથી તા તેમનું વચન જ સાચું લાગે છે!' આ સાંભળી પ્રિયાનાને ભાન આવ્યું, તે તરતકના આભાર માની, જમાલિને અનુસરવું છેડી, પરિવાર સહિત ભગવાન મહાવીર પાસે આવી; અને પાતે કરેલા દોષનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ. પરંતુ જમાધિ તા અંત સુધી મહાવીરથી અળગા જ રહ્યો. જોકે, તેણે તપકમ તા ઘણાં જ આદર્યો. તેમજ મરતી વખતે પણ તે ત્રીસ ટકના ઉપવાસ કરીને જ મરણ પામ્યા. તેને મરણ પામેલા જાણી ગૌતમે મહાવીરને પૂછ્યું, ભગવન્! જમાલિ મરીને કઈ ગતિ પામ્યા? મહાવીરે જવામ આપ્યા, જે વા આચાયના દ્વેષી, ઉપાધ્યાયના દ્વેષી, કુલ–ગણુ અને સધના દ્વેષી, તથા તે બધાના અયશ અને કીર્તિ કરનારા હોય; તથા ઘણા અસત્ય અથી પ્રગટ કરી, મિથ્યા કદાગ્રહથી પેતાને અને પારકાને શાંતિમાં નાખનારા હોય, તે જીવાની ગતિને જયાશ્ચિ પામ્યા છે. ત્યાંથી તિયંચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ બવ કરી, તે અવશ્ય સિદ્ધ થશે અને સત્ર દુ:ખાતા અંત લાવશે; કારણ કે તે બીજી રીતે રસરહિત આહાર કરતા હતા, ઉપશાંત નનવાળા હતા, તથા પવિત્ર અને એકાંત જીવન ગાળતા હતા. [ભગવતી શ્રુતર્ક ૯, ૩૬૦ ૩૩ ] ૧. મૂળમાં તા તે લાંત નામના છઠ્ઠા સ્વર્ગોમાં અત્યન્ત સમાન ગણાતા િિષિક દેવની પદવી પામ્યા છે, એમ પણ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy