SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ દિહ તરફ સામાયિક કરતા શ્રમપાસકની સ્ત્રીને કોઈ પુરુષ સેવે, તે તે તેની સ્ત્રીને સેવે છે; પણ અન્યની સ્ત્રીને નહીં.” અલબત્ત, આ જાતની ઝીણવટ આપણને આજે તો માત્ર રમૂજ આપનારી જ લાગે; પરંતુ જે જમાનામાં એવી એવી વાક્ચાતુરીઓને આધારે ગમે તેવા આચારોનું સમર્થન થતું હોય, તે જમાનામાં એ ઝીણવટોને રદિયે આપવો જ જોઈએ. જ્યાં સુધી માણસનું અહેવ-મમત્વ ગયું નથી, ત્યાં સુધી તેણે અમુક વ્રત દરમ્યાન છેડેલી વરતુ પણ તેની જ છે; અને માણસે જ્યાં અહંવમમત્વ છેડયું, ત્યાં તે વસ્તુ બીજાને ન મળી હોય તો પણ દાતાને મન તે ગયેલી જ છે. એટલે કામ હજુ પૂરું થયું ન હોય, તે પણ કરવા ધાર્યું અને કરવાનું શરૂ પણ કર્યું, એટલે તે કરનારની દષ્ટિએ તે થઈ ચૂક્યું જ કહેવાય. ચેર ચોરી કરવા નીકળ્યા, અને ઇંટે ઉખાડવા પણ માંડી; પછી ગણસારે માલુમ પડતાં, તે આખું બાકોરું પાડીને ચોરી કર્યા વિના પાછો ચાલ્યો જાય, તે પણ તેને ચોરી કરવાનું પાપ તો લાગે જ. પરંતુ જમાલિએ હવે પેલા પથારી પાથરનારા સાધુઓના જવાબ ઉપરથી મહાવીરના સિદ્ધાંતને શબ્દ પૂરતો તે જૂઠો ઠરાવ્યો કે, “જે મહાવીર કહે છે તે સાચું હોય, તે પથારી પાથરવા માંડી એટલે પથરાઈ ચૂકી કહેવાય; પરંતુ હું તો નજરે દેખું છું કે, પથારી હજુ પથરાઈ ચૂકી નથી, માટે મહાવીરનો સિદ્ધાંત ખેટ છેઅને જે માણસ એક વસ્તુ પણ બેટી કહે, તેની બીજી વસ્તુઓ પણ ખોટી કેમ ન હોય? અને છતાં મહાવીર પિતાને કેવળજ્ઞાની–સર્વ કહાવે છે. માટે નથી તે કેવળજ્ઞાની કે સર્વ; અને નથી તેનું કહેવું પણ સાચું. તેમજ મહાવીર ખેટા છે, એટલું મેટું સત્ય જેનારે તેમના કરતાં તો વધુ જ્ઞાની ખરે જ ! એટલે સાજા થયા પછી,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy