SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સ શ્રી મહાવીર કથા થયું કહેવાય; પણ તમારા પદાર્થનું અપહરણ થયું ન કહેવાય. માટે તમે અદત્તનું ગ્રહણ અને ભજન કરનારા હેઈ, ચેર, પાપી, અસંયમી છે!” ત્યારે પેલા સ્થવિરેાએ જવાબ આપ્યો કે, હે આર્યો! અમારા ભગવાનને મતે અપાવા માંડેલું તે અપાયેલું જ છે; ગ્રહણ કરાવા માંડેલું, તે પ્રહણ કરાયેલું જ છે; અને પાગમાં નખાવા માંડેલું, તે નંખાયેલું જ છે. માટે, દાતાએ અમને આપવા માંડેલો પદાર્થ અમને અપાઈ ચૂકેલો હેવાથી, તે અમારા પાત્રમાં પડે તેવામાં વચ્ચેથી કાઈ તે પદાર્થને અપહાર કરે, તો તે અમારા પદાર્થને અપહાર થયો કહેવાય. માટે અમે અસંયમી નથી. બીજો પ્રસંગ આઠમા શતકના પાંચમા ઉદેશમાં છે. રાજગૃહમાં ગૌતમે ભગવાનને પૂછયું : હે ભગવન્! ગશાલકના શિષ્ય આજીવિકોએ આપણું સ્થવિર ભગવંતને એમ પૂછયું હતું. શ્રમણના ઉપાશ્રયમાં (અહંમમત્વ ત્યાગવારૂ૫) સામાયિકવ્રત સ્વીકારીને બેઠેલા શ્રાવકનાં વસ્ત્રાદિ કઈ હરી જાય, તે હે ભગવન! સામાયિક પૂરું થયે તે વસ્તુનું અન્વેષણ કરનારો શ્રાવક શું પોતાની વસ્તુ શોધે છે કે અન્યની? તેમજ સામાયિક કરતા શ્રમણોપાસકની સ્ત્રીને કોઈ પુરુષ સેવે, તો તે તેની સ્ત્રીને સેવે છે કે, અન્યની સ્ત્રીને? મહાવીરે જવાબ આપ્યો, “હે ગૌતમ! તે શ્રાવક પોતાની વસ્તુ શોધે છે, પણ અન્યની વસ્તુ નથી શોધતે. કારણ કે, સામાયિક કરતી વખતે જે કે શ્રાવકના મનમાં એવો ભાવ હોય છે કે, “મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નથી, મારે વસ્ત્ર નથી, દ્રવ્ય નથી' ઇત્યાદિ. પરંતુ તેણે મમત્વભાવ ત્યાખ્યો નથી, તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે, તે પોતાની વસ્તુ કિશોધે છે, પણ પારકાની વસ્તુ શોધતો નથી. તે જ પ્રમાણે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy