SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ શ્રી મહાવીર-કથા હયાત જ હતા. પરંતુ ભગવાનનાં પત્ની હયાત હતાં કે નહીં, તથા બધાં ભેગાં તે ભગવાનનાં દર્શન પામ્યાં હતાં કે નહીં. તે વિષે કશી માહિતી મળી શકતી નથી. ભગવાન બ્રાહ્મણકુંડમાંથી નીકળી હવે ક્ષત્રિયકુંડમાં આવ્યા. ત્યાં નંદિવર્ધન, જમાલિ, પ્રિયદર્શના વગેરે સૌ તેમનાં દર્શને આવ્યાં. ભગવાનને ધર્મોપદેશ સાંભળ્યા બાદ જમાલિ ભગવાનને પ્રદક્ષિણાદિ કરીને બોલ્યો, “હે ભગવન ! મને તમે ઉપદેશેલા નિગ્રંથ માર્ગ ઉપર શ્રદ્ધા થઈ છે, વિશ્વાસ થયા છે, તથા રુચિ થઈ છે. હે ભગવદ્ ' તમે જે ઉપદેશ આપો છે, તે તેમજ છે, સત્ય છે, તથા અસંદિગ્ધ છે; પરંતુ હે દેવાનુપ્રિય ! મારાં માતાપિતાની રજા માગીને હું આપની પાસે દીક્ષિત થઈ. ગ્રહવાસનો ત્યાગ કરી, સાધુપણું સ્વીકારવા ઇચ્છું છું.' પછી જમાલિકુમાર પિતાને ઘેર ગયે. અને માતપિતાને ભગવાનના ધર્મોપદેશની અને તેમાં પોતાને થયેલી રૂચિની વાત કરી. તે જાણું, તેનાં માતપિતા તેના પુણ્યશાળીપણાથી ખુશ થયાં. પરંતુ જ્યારે તેણે સંસારભયથી ઉદ્વિગ્ન થઈ સાધુ થવાની વાત કરી, ત્યારે તેની માતા ચોંકી ઊઠી. તે બોલી, “હે જાત! તું મારા ઈષ્ટ, કાંત, અને પ્રિય છે; આભરણુની પેટી જેવો, અને વિતના ઉત્સવ જેવો આનંદજનક છે; ઊંબરાના પુષ્પની પેઠે તારા નામનું શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન તે દુર્લભ હેય તેમાં નવાઈ શી? તારા વિયોગ મારાથી એક ક્ષણ પણ સહન નહીં થઈ શકે. માટે (મહાવીરની પેઠે) હું જીવું છું ત્યાં સુધી તું ઘેર જ રહેપછી કુલવ શત તુની વૃદ્ધિ કરીને વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે.” આ જ માલિએ જવાબ આપેઃ “હે માતપિતા ! આ મનુષ્યભવ અનેક જન્મ-જરા-મરણ-રેગ વગેરે શારીરિક અને માન
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy