SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેહ તરફ રહ છીએ. તે પછી આ સ્ત્રીને અચાનક તમને જોતાં પાનો કેમ ચડી આવ્યો, તથા તે તમારી તરફ અનિમેષ દૃષ્ટિએ જોતી આમ કેમ શુન્યમૂન્ય થઈને ઊભી છે?’ ભગવાને ગૌતમને જવાબ આપ્યોઃ “હે ગૌતમ! હું ખરી રીતે આ સ્ત્રીને પેટે જ ઉત્પન્ન થયે છું. તે જ મારી ખરી માતા છે. તેથી જ તેને આ પ્રમાણે થયું છે. જે કુળમાં મોક્ષ પ્રાપ્ત કરનાર પુત્ર જન્મ, તેની આગળપાછળની ઈકોતેર પેઢી તરી જાય છે, એવી લકવાયકા છે. મહાવીર જેવા પુત્રને ધારણ કરનાર માતપિતાને જન્મ એ દષ્ટિએ પણ સફળ થવો જ જોઈએ. ભગવાન તો અહ-મમત્વ વિનાના હતા, પરંતુ તેમના જેવા ઉપર અહં-મમત્વ ધારનારને લાભ થયા વિના કેમ રહે? ભગવાને તે પ્રસંગે સૌને ઉદ્દેશીને જે ધર્મોપદેશ કહ્યો, તે તેમનાં માતાપિતાને તો હદય સંસરવો જ ઊતરી ગયે. તેઓએ તરત સંસારત્યાગ કરી, પુત્ર પાસે તેણે બતાવેલ માર્ગની દીક્ષા લીધી. ભગવાને પોતાની માતાને આર્યા ચંદનાની સંભાળ હેઠળ મૂક્યાં. અને કથાકાર કહે છે કે, ભગવાનનાં માતાપિતા, યથાયોગ્ય અધ્યયન તથા તપકર્મ કરી, અંતે સાઠ ટંકના ઉપવાસ કરી, તે જન્મે જ સિદ્ધ-બુદ્ધ તથા મુક્ત થયાં. ધન્ય છે, તે પુત્રને; અને ધન્ય છે તે માતપિતાને. ૨. જમાલિ અને પ્રિયદર્શના બ્રાહ્મણકુંડગ્રામની પશ્ચિમ દિશાએ એ જ પ્રદેશમાં ક્ષત્રિયકુંડ આવેલું હતું. તે તરફ ભગવાનનાં લૌકિક ક્ષત્રિય માતપિતા તથા તે સંબંધનાં સગાંવહાલાં રહેતાં હતાં. સિદ્ધાર્થ ક્ષત્રિય, તથા ત્રિશલા ક્ષત્રિયાણું તે ભગવાનની દીક્ષા પહેલાં જ દેવલોકવાસી થયાં હતાં. હવે તેમનાં નિકટનાં સંબંધીઓમાં બાકી રહ્યાં ભગવાનની પુત્રી પ્રિયદર્શન અને તેને પતિ જમાલિ. લૌકિક દૃષ્ટિએ ભગવાનના મોટાભાઈ ગણાતા નંદિવર્ધન તે વખતે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy