SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેહ તરફ ૧. ઋષભદાત અને દેવાનંદ [૧૩ મું ચોમાસું] આ પ્રમાણે દીક્ષા તથા ઉપદેશ આપતાં આપતાં વષકાળ પણ રાજગૃહમાં જ પૂરો કરી ભગવાન ત્યાંથી હવે વિદેહ તરફ ચાલ્યા. વિદેહદારા તે તેમની જન્મભૂમિ કહેવાય. જે ભૂમિમાંથી એકલા કોઈ અગમ્ય માગ ની શોધ માં તે ચાલી નીકળ્યા હતા, તે ભૂમિમાં પિતાનું લક્ષ્ય સિદ્ધ કરી, જ્યારે તે દાખલ થયા હશે, ત્યારે તેમના હૃદયમાં કાંઈ લાગણું થઈ હશે કે નહીં, તે તો કોણ કહી શકે? પરંતુ તેમનાં સંબંધીઓ તે તેમને સ્વસ્થ થઈ બાર-તેર વર્ષના ગાળા પછી પાછા ફરેલા જોઈ જરૂર રાજી થયાં હશે. બ્રાહ્મણકુંડગ્રામે મહાવીર આવતાં તેમનાં ખરાં માતપતા ભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી જલદી જલદી તેમનાં દર્શને આવ્યાં. દેવાનંદાની આંખો અશ્રુથી ભીની થઈ ગઈ અને તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટવા માંડી. અનિમેષ નયનોએ મહાવીર તરફ જ જોયા કરતી માતા, ઘડીભર પોતાને ધન્ય માનતી ઊભી રહી. આ વાત પાસે બેઠેલા ગૌતમાદિનું ધ્યાન ખેંચ્યા વિના ન રહી. કોઈ અજાણી લાગતી સ્ત્રી માતૃભાવ પાસે આવી મહાવીરને પોતાના સ્તન્યથી નવરાવતી અનિમેષ દૃષ્ટિએ ઊભી રહે, તે વસ્તુ હરકોઈના કુતૂહલનું કારણ થાય જ. ગૌતમે તરત જ અંજલિ જોડીને પૂછયું, “ભગવાન ! આ શું? અમે તે તમને ત્રિશલા ક્ષત્રિયાણના પુત્ર જાણીએ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy