SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા છેવટે જાતે આવી નંદિષણને જમવા આવવા માટે આગ્રહ કર્યો. ત્યાર નંદષેણ બોલ્યા કે, હજુ દશમે કોઈ ઘર છોડવા તૈયાર થતો નથી. ત્યારે પેલી વેશ્યાએ પ્રેમપૂર્વક હસીને કહ્યું, “ત્યારે એ દશમા તમે જ થાઓ !” નંદિષણ તરત જ ચમક્યા. બીજાને ગૃહત્યાગ કરવા પ્રેરવા પ્રયત્ન કરનારે હું પોતે તે ઘરમાં જ વસું છું ! તરત તે આજીજી અને હાયપીટ કરતી ગણિકાને છેડી મહાવીર પાસે ચાલ્યા આવ્યા, અને પ્રાયશ્ચિત્ત સાથે તેમની પાસેથી ફરી વાર દીક્ષા ગ્રહણ કરી. ત્યાર બાદ મરતા સુધી તેમણે પોતાના વ્રતમાં આંચ આવવા ન દીધી. 9. ગૃહસ્થમ રાજગૃહના વાસ દરમ્યાન મહાવીરની પાસે દીક્ષા લઈ ગૃહત્યાગ કરનાર બે રાજપુત્રોનાં ચરિત્ર તે આપણે જોયાં. પરંતુ મહાવીર નર્યો સાધુધર્મ નહેતા ઉપદેશતા. તેમણે સાધુઓનાં જ મહાવ્રતો ઉપરથી તથા તે મા લઈ જનારે ગૃહસ્થ ધર્મ પણ વિચારી કાઢયો હતે. જેઓ ગૃહત્યાગ કરી સાધુદીક્ષા લઈ શકે તેવા ન હોય, તેઓને ગૃહસ્થ ધર્મ ઉપદેશવામાં આવતો. શ્રેણિક રાજાના અભયકુમારે ભગવાન પાસે આ વખતે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યાની બીના કથાઓમાં સંધરાઈ છે. ગૃહસ્થ ધર્મમાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ધારણ કરવાનાં હોય છે. પાંચ અણુવ્રત: જીવન સુધી મન-વચન-કાયાથી સ્કૂલ હિંસા ન કરવી તેમજ કરાવવી. [ણૂલ હિંસા, એટલે કે, પોતે નક્કી કરેલી ગૃહસ્થપણની મર્યાદા સચવાય તેથી વધારેની હિંસા.] ૨. સ્થૂલ અસત્ય ન બોલવું તેમજ બેલાવવું. ૩. સ્થલ ચૌય
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy