SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન તેના મજાકના બોલ સાંભળી, નંદિષેણ મુનિને જરા ગુસ્સા જેવું થઈ આવ્યું. આ બાપડી મને શું હસતી હશે, એમ કહી, તેમણે પિતાના તપના બળથી તે વેશ્યાના ઘરમાં રત્નને ઢગલે કરી દીધો, અને કહ્યું, “લે અર્થલાભ પણ!' પેલી વેશ્યા આ સાધુની આવી દિવ્ય સંપત્તિ જોઈ છક થઈ ગઈ, નંદિષણનું શરીર પણ છેવટે તે રાજકુમારનું હતું. તેની કાંતિમાં હવે તપનું તેજ પણ ભળ્યું હતું; એટલે પેલી વેશ્યા તેના સ્વરૂપ ઉપર પણ મોહિત થઈ ગઈ. તે તરત નંદિષણને હાથ પકડી તેમને ઘરની અંદર ખેંચી ગઈ; અને બેલી, “નાથ ! તમે ધર્મલાભ તથા અર્થલાભ તો કરાવ્યો, તે માટેની તમારી દિવ્ય શક્તિ પણ તમે બતાવી; પરંતુ હવે તો હું તમારી પાસેથી ભાગલાભ પણ ઇચ્છું છું. તમે આટલા સમર્થ તપસ્વી છે, તે તમને મારી એટલી માગણી પૂરી પાડતાં કાંઈ મુશ્કેલી પડવી ન જોઈએ. ઉપરાંત હું તો સ્ત્રીજાતિ પણ કહેવાઉં. એટલે અબળા જાતિનું રક્ષણ તે પુરુષ જેવા પુરુષે થોડુંક ઘસાઈને પણ કરવું જોઈએ, એ યોગ્ય કહેવાય. જે તમે ના પાડશો, તે તમારા દેખતાં જ મારા પ્રાણ તમારા ચરણમાં ત્યજીશ, એની ખાતરી રાખજે.” છેવટે સ્વભાવ છે ! નંદિષેણ તેની પાસે રહેવા તૈયાર થયા; મન એ રીતે મનાવ્યું કે, ત્યાં રહીને પણ રોજ ઓછામાં ઓછા દશ જણને તો ધર્મોપદેશથી પ્રતિબોધ પમાડીને દીક્ષા માટે ભગવાન પાસે મોકલીશ, અને ત્યાર બાદ જ ભજન કરીશ. ઘણો વખત એ ક્રમ ચા પણ ખરે. પરંતુ એક વખત રસેઈ તૈયાર થઈ જવાથી પેલી વેશ્યાએ ઉપરાઉપરી સંદેશો મોકલાવ્યા છતાં નદિષણ આવ્યા નહીં, કારણ કે આજે નવ જણ તો પ્રતિબોધ પામ્યા હતા. પરંતુ દસમે એક સેની કેમે કર્યો સંસારત્યાગ કરવા તૈયાર થતો નહોતે. પેલી વેસ્થાએ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy