SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી મહાવીર કથા પરંતુ આખી રાત લઘુશંકા, શૌચ ઇત્યાદિ કારણે કોઈ ને કઈ સાધુ ત્યાં થઈને જા-આવ કર્યા જ કરે, એટલે તેમના પગ કે હાથની ટેસો વાગી-વાગીને તથા તેમના જવઅવરથી જીતી ધૂળને કારણે મેઘકુમાર તે રાત્રે જરા પણ ઊી શક્યો નહીં. શ્રેણિક જેવા પ્રતાપી રાજાને કુમાર ! આવી ધૂળ તેમજ ઠેસો તેને સહન કરવાની? તેને વિચાર આવ્યા જ કર્યો કે, “આ સાધુઓ જ્યારે હું રાજમહેલમાં હતા ત્યારે મારે આદર કરતા, મત્કાર કરતા, સન્માન કરતા, અને મને સારી રીતે બોલાવતા; પરંતુ રાજકુમાર મટી, હું તેમના જેવો મૂડિયો થયો એટલે મારો આદર કરવાને બદલે વારંવાર મારી પથારી આગળથી આવ-જા કરી મને લગીરે ઝંપવા દેતા નથી. માટે આવતી કાલે સવારે હું તો ભગવાન મહાવીરની રજા લઈ, મારે ઘેર પાછો ચાલ્યો જઈશ. | મેઘકુમારે આવા વિચારમાં જેમ તેમ કરીને રાત વિતાવી. સવાર થતાં જ તે સીધે મહાવીર પાસે ગયે. મહાવીરે તેના મનના વિચાર કળી જઈ તરત કહ્યું, “ મેઘ! તને રાત્રે નિકા નથી આવી લાગતી. આટલા મોટા સમુદાયને છેડે તારી બેઠક હોવાથી, તથા ત્યાં થઈને શ્રમણોની આવજા થતી હોવાથી તેને ઊંઘ ન આવે એ બનવા જોગ છે. પણ તેથી તારે મૂ ઝાવાનું કે ખેદ કરવાનું કારણ નથી. કારણ કે :--- તને યાદ પણ નહીં હોય, પણ હું બરાબર જાણું છું કે, આજથી ત્રીજા ભવમાં હાથીઓના રાજા સુમેરુ પ્રભના અવતારમાં તું વૈતાઢય પર્વતની તળેટી આગળ રહેતા હતા. તારે અનેક પ્રિય હાથણીઓ તથા બચ્ચાં હતાં. તે જન્મમાં તું અત્યંત કંદર્પશીલ તથા કામભોગમાં આસક્ત હેવાથી નિરંતર તારી પ્રિય હાથણીઓને લઈ પહાડો, નદીઓ,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy