SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન પણ કહ્યું કે, “હે પુત્ર! તારે વિજય થાઓ! તું આ સમસ્ત મગધનું આધિપત્ય કાયમને માટે ભોગવતો, રાજા ભરતની પેઠે રાજ્ય કર અને સંસારમાં જ રહે.' પરંતુ મેઘકુમાર ઘેડો લેભાવાને હતો? તેણે તે રાજા થઈને પહેલે હુકમ એ જ કર્યો કે, “બજારમાંથી જૈન સાધુ રાખે છે તેવું રહ્યું અને પાત્ર લઈ આવે, તથા મારા કેશ કાપવાને હજામ બેલા !” હજામે કાપેલા કેશ માતાએ રોતાં રોતાં માનવૃત્તિથી સાચવીને લઈ લીધા, અને સંભારણું દાખલ રત્નના દાબડામાં બંધ કરી ઓશિકા નીચે રાખ્યા. પછી પુત્રને યથાવિધિ મહાવીર આગળ રજૂ કરીને કહ્યું, “હે દેવાનુપ્રિય ! આ મેવકુમાર મારો એકનો એક પુત્ર છે, પ્રાણસમે છે, તથા મારે માટે ઉંબરાના પુષ્પ સમે દુર્લભ છે. જેમ કમળ કાદવમાં થાય છે અને પાણીમાં વધે છે, પણ કાદવની રજથી કે પાણીના બિંદુથી લેપાતું નથી; તેમ કામમાં થયેલ અને ભાગમાં વધેલો આ મેકુમાર આપને ધર્મોપદેશ સાંભળી હવે કામ અને ભેગરસથી ખરડાવા ઇરછતે નથી. સંસારના ભયથી તે ઉદ્વિગ્ન થયો છે, તથા આપની પાસે રહી, મુંડ થઈ ઘર છોડી, સાધુ થવા ઈચ્છે છે. માટે તેને શિષ્યભિક્ષા તરીકે સ્વીકારે.” ત્યાર બાદ મહાવીરે તેને સ્વીકાર કરતાં, માતા ગળગળી થઈને છેલ્લાં વાક્ય બોલી : “બેટા! આ માર્ગમાં યાન કરજે, પરાક્રમ કરજે; લેશ પણ પ્રમાદ ન કરીશ. તારા દાખલાથી અમે પણ આ માર્ગ વિચરીએ એવું થજે !” સંસારી સંબધીઓ પાછાં ફર્યા; હવે સુકુમાર મેઘકુમારને એકલા પિતાને માર્ગ કાપવામાં આવ્યા. મહાવીર તેમજ તેમની સાથેના સાધુસમુદાયનો ઉતારે ગુણશિલ ચયમાં હતો. રાત્રે સૂતી વેળા મેઘકુમારનું સ્થાન છેક છેલ્લું ઝાપા પાસે આવ્યું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy