SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ૨૫ છોડવાનો જ છે. આપણે બધામાંથી પહેલું કેણ જશે અને પછી કોણ જશે, તેની પણ કોઈને ખબર નથી, માટે હે માતા ! તમે અનુમતિ આપો, તે મળેલા મનુષ્યમવને સાર્થક કરવા હું પ્રયત્નશીલ થાઉં. હે માતા! તમે જે કામ ભોગો ભગવ્યા કરવાનું કહ્યું, તે તો હવે મને અશુચિ, અશાશ્વત, ઘણાપદ, અધ્રુવ, અનિયત, નાશવં, તથા પહેલાં કે પછી અવશ્ય તજવા પડે તેવા સમજાય છે. એટલે તે બધા મને આનંદ આપી શકે તેમ નથી. વળી તે બધા ભેગો પણ નાશવંત છે, તેમ જ હું પહેલાં જઈશ કે તે જશે તે પણ કહી શકાતું નથી.” આ પ્રમાણે કામભોગેની લાલચથી પોતાના પુત્રનો નિશ્ચય ફરે તેમ નથી એમ જતાં તેને ભય બતાવતાં માતાએ કહ્યું : “હે જાયા! તને ખબર નથી કે ભગવાન મહાવીરના માગને અનુસરવું એ તે લેઢાના ચણા ચાવવા જેવું છે. એ તો વેળુના ળિયા છે, ધસી આવતી ગંગાના પૂરમાં સામે વહેણે તરવાનું છે, અને ખાંડાની ધારે ચાલવા જેવું છે. હે જાયા ! ત્યાં લૂખુંસૂ ખાવાનું છે, અને ફાટયાં-તૂટયાં કપડાં પહેરવાનાં છે. અરણ્યમાં, મસાણમાં, ખંડેરમાં, કોઢમાં કે એવા જ કઈ બીજા ભાગ્યા તૂટયા મકાનમાં રહેવાનું છે; ટાઢ અને તડકે સહેવાનાં છે, ભૂખ અને તરસ વેઠવાનાં છે; વાત - પિત્ત-કફના વિકારોથી થયેલા અનેક રોગોને સમભાવે સહેવાના છે. આહાર માટે પણ ઘેરઘેર ભટકીને ભિક્ષા માગવાની છેઅને વધ્યુંઘટયું માગી લાવી એક વાર ખાવાનું છે. તું તે રાજકુમાર છે, સુખમાં ઉછરેલે છે, તારાથી આ બધું શી રીતે સહન થશે?’ માતાએ દેખાડેલે ભય સાંભળીને મેઘકુમારે ગંભીરતાથી જવાબ આપ્યોઃ “હે માતા ! તમે જે કહ્યું, તે બરાબર છે; પણ એ ભય તે કાયરને માટે છે. જે આ લેકમાં આસક્ત
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy