SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રી મહાવીર કથા “હે માતપિતા! હું આજે ભગવાન મહાવીર પાસે જઈને તેમનો ઉપદેશ સાંભળી આવ્યો. તે મને ખૂબ ગમે છે.” માતપિતા તે વાત સાંભળી, ઘણા ખુશ થયાં અને બોલ્યાં : તું તો ધન્ય છે, સંપૂર્ણ છે, કૃતાર્થ છે, તથા ચતુર છે, જેથી ભગવાનને ધર્મ સાંભળી તને તેમાં શ્રદ્ધા થઈ.' પછી મેઘકુમારે કહ્યું, “હે માતપિતા! મને ભગવાન મહાવીરના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને તેમના સહવાસમાં રહેવાની પ્રબળ ઇચ્છા છે; તે હું તમારી અનુમતિથી તેમ કરવા કોઈ વાર નહીં સાંભળેલું એવું આ વચન સાંભળતાં જ ધારિણી માતા મંછિત થઈને જમીન ઉપર ઢળી પડી, તથા તેનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. અનેક પ્રકારના શાતાપચારથી થોડી વારમાં મૂછી વળતાં જ તે રોતી રોતી શેક કરતી અને વિલાપ કરતી બેલી – “હે જાયા! તું મારે એકને એક વહાલે પુત્ર છે, મારા વિશ્વાસનું સ્થાન છે, અને ઘરમાં રતન જેવો છે. હે જાયા! તારે વિયેગ એક ક્ષણવાર પણ સહન કરે એ મારે માટે મુશ્કેલ વાત છે. માટે હે જાયા ! મારા તરફ નજર કરીને, હું જીવું ત્યાં સુધી એવું કાંઈ કરવાને ખ્યાલ છોડી દઈ, વિપુલ એવા આ માનુષક કામભોગને યથેચછ ભોગવ્યા કર; મારું અવસાન થયા બાદ, જ્યારે તું પરિપકવ વયન થાય, અને તારે વંશવેલો સારી રીતે વચ્ચે હોય, ત્યારે સર્વથા નિરપેક્ષ બનીને તું શ્રમણભગવાન મહાવીર પાસે મુંડ થઈને ગૃહત્યાગી થજે.' મેઘકુમાર બોલ્યા : 'હે માતા ! તમે જે કહ્યું છે તે બરાબર છે. પણ મનુષ્યનો દેહ પાણીના પરપોટા જેવી અધ્રુવ છે, અનેક ઉપદ્રવોથી ઘેરાયેલો છે. રાગ વગેરે અનેક વિકારે પામનાર છે, તથા પહેલાં કે પછી તેને અવશ્ય
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy