SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી મહાવીર કથા શ્રેણિક રાજા પિતે, તથા નાદિષેણ, અભયકુમાર વગેરે પિતાના બીજા ભાઈઓ પણ મેજૂદ હતા. ભગવાન બધા શ્રોતાઓને ઉદ્દેશી ધર્મોપદેશ આપવા લાગ્યા. દરેક ધર્મોપદેશક કે સંતની પિતપોતાની ખાસ નિરાળી ઉપદેશશેલી હોય છે. ભગવાન મહાવીરની ઉપદેશશૈલીને કઈ નામ આપવું હોય, તો તેને જ્ઞાતા-શેલી કહી શકાય. જ્ઞાત એટલે ઉદાહરણ અથવા દષ્ટાંત. ભગવાન મહાવીર કાંઈ કહે એટલે સાથે કાંઈક દષ્ટાંત હેય જ. એ દષ્ટાંતે એવાં રોચક તથા કપ્રિય થઈ પડ્યાં હતાં કે, ભગવાનના શિષ્યોએ તેમણે કહેલાં એવાં એવાં દૃષ્ટાંતને ભેગાં કરીને એક સ્વતંત્ર સૂત્ર જ બનાવ્યું છે, અને તેનું નામ પણ આપ્યું છે. જ્ઞાતાધર્મકથા.” તે નામના બે અર્થ થાય છે. એક – જ્ઞાતૃવંશી મહાવીરે (જ્ઞાતાએ) કહેલી ધર્મકથાઓ', અને બીજો – "જ્ઞા એટલે કે ઉદાહરણો અને ધર્મકથાઓનું સૂત્ર.” એ બેય અર્થમાં ઉપર મહાવીરની ઉપદેશશૈલીને જ્ઞાતા-શૈલી કહી છે. નીચે તેમનો એક ઉપદેશ-પ્રસંગ આખા ઉતાર્યો છે, તે ઉપરથી તેમની શૈલીને કાંઈક ખ્યાલ આવશે. તે પ્રસંગ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાતમા અધ્યયન તરીકે સંઘરાય છે. લેકે અતિથિ આવે તે પ્રસંગે ઉજાણું સારું પોતાના આંગણામાં ઘેટા પાળે છે, તથા તેને ચોળા અને જવસ ખવરાવી-ખવરાવીને પુષ્ટ કરે છે. તે ઘેટે તૃપ્તિપૂર્વક બધું ખાઈ ખાઈ, મોટા પેટવાળો અને વિપુલ દેહવાળ બને છે. પરંતુ તે જાણતા નથી કે, અતિથિ આવે ત્યારે કપાવા માટે પિતે તૈયાર થઈ રહ્યો છે ! તેવી રીતે અજ્ઞાની મનુષ્ય પણ સ્ત્રી પ્રધાન કામભોગે જોગવત, મહાઆરંભ અને પરિગ્રહો કર્યા કરતે, તથા પિતાના # મહાવીરે કહેલી કેટલીક દષ્ટાંત-કથાઓ માટે જુઓ આ ગ્રંથને ખંડ ૩ જે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy