SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ાજગૃહમાં આગમન २४७ પડતા નથી કે બીજાને તકલીફમાં નાખતા નથી; તથા ક્રાઈ ભૂતપ્રાણીને પણ પીડા કરતા નથી. આવેા ઉપદેશક મહામુનિ, દુ:ખમાં પડેલાં ભૂતપ્રાણીઓને અસદીન એટની પેઠે રારણરૂપ થાય છૅ.’ અને આપણે પણ સમજી શકીએ કે, રાજદરબારમાં પારિતાષિક મેળવવા કે પદવી મેળવવા ભલે તર્કવાદો રજૂ કરી શકાય; પરંતુ આમજનતામાંથી સુસંગત તર્કવાદ જ રજૂ કરીને ભાગ્યે કાઈનું ધર્મ પરિવર્તન કરાવી શકાય. અને મહાવીર-વાણી તરીકે એળખાતું આયારાંગસૂત્ર આપ્યું તેઈ જઈ એ, તાપણુ ત્યાં આપણને દાનિક ચર્ચો કે નિરક પરિભાષાને લવલેશ નહી' મળે; આધ્યાત્મિક જીવનમાં ઉપયેગી એવી ઉપર જણાવેલી બધી બાબતેાના ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. મહાવીરનાં દર્શને જનારા લેાકેાની ધમાલ પેાતાના વિલાસભુવનની બારીએથી જોઈ, શ્રેણિક રાજાના ધારિણી રાણીથી થયેલા પુત્ર મેષકુમાર પોતાના કંચુકીને પૂછવા લાગ્યા કે, આજે કાઈ દેવ દેવીને ઉત્સવ, ઉદ્યાનયાત્રા, કે ગિરિયાત્રા છે, કે જેથી લોકોનાં ટોળાં બહારના ઉપવન તરફ દોડાદોડી કરતાં જાય છે? કંચુકીએ જવાબ આપ્યા કે, આજે રાજગૃહ નગરની બહાર શ્રમણુભગવાન પધાર્યાં છે. એમનાં દર્શન કરવા તથા તેમને ઉપદેશ સાંભળવા લેાકેા આમ પડાપડી કરતા જાય છે. આ સમાચાર સાંભળી, મેશ્વકુમાર પણુ પેાતાના ચાર ઘટવાળે! અશ્વરથ તૈયાર કરાવીને ભગવાન મહાવીરના ઉતારા તરફ જવા નીકળ્યા. ત્યાં જઈ ભગવાનને દૂરથી જોતાં જ સ્થ ઉપરથી ઊતરી, રાજચિહ્નોને યાગ કરી, તે પગપાળા જ પાથ જોડીને ભગવાન પાસે ગયે, અને વિધિપૂર્વક તેમનાં પ્રદક્ષિણાદિ કરી, બધાની સાથે બેઠા. તેણે જોયું તે તે સભામાં
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy