SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી મહાવીર કથા સેનાપતિઓ, સાર્થવાહ વગેરે આર્ય તથા અનાર્ય એમ સૌ લેકે મહાવીરસ્વામીને ઉતારે તેમનાં દર્શન માટે આવી પહોંચ્યા.” જુદા જુદા સંતપુરુષો, તપસ્વીઓ, પંડિતો વગેરે ફરતા ફરતા પિતાના રાજ્યમાં તેમજ નગરમાં આવે, અને પિતાને તથા પિતાની પ્રજાને તેમના સત્સંગનો લાભ આપે, એવી તે વખતના રાજાઓમાં ખાસ ઇચ્છા રહેતી; તથા તે બધા સાધુસંતેને પોતાના રાજ્યમાં પ્રવાસ દરમ્યાન કેઈ જાતની મુશ્કેલી ન નડે, તે માટે તેઓ ખાસ ચીવટ રાખતા. દરેક નગરની બહાર તેવા સાધુસંતોને ઉતારે કરવા યોગ્ય ઉપવન હોય જ; અને તેની અંદર કેઈ ને કાઈ ચિત્ય પણ હેય. ચત્યનાં દર્શનાર્થે આવતા લેકેને ઉપવનમાં આવેલા સાધુસંતની ખબર પણ રોજ પડે જ; અને કેઈ અસાધારણ તપસ્વી આવ્યો હોય તે તો મોટી મેદની જામે, અને રાજા વગેરે પણ તેનાં દર્શનાર્થે આવે. - તે સાધુસંતે સર્વ પંથના – સર્વ વર્ગના ભેગા થયેલા જનસમુદાયને કઈ પણ અલગ પંથ કે મતમતાંતરના ઝઘડામાં ઉતારવાની દાનત રાખે જ નહીં, પરંતુ સર્વ પંથને માન્ય એવાં ધર્મનીતિનાં મૂળ તો જ ઉપદેશ આપે. આથી જુદા જુદા સંપ્રદાયના લેકો પણ ગમે તે પંથ કે સંપ્રદાયના સાધુ આવ્યા હોય, તોપણ હસે હસે તેમનાં દર્શન કે તેમનો ઉપદેશ સાંભળવા જાય. અને ત્યાર બાદ તે સંત પુરુષ ઉપર જ પિતાની શ્રદ્ધા એટે, તો તેમની પાસે દીક્ષા લઈ તેમના પંથ કે માર્ગને વિશિષ્ટ અભ્યાસ કરે, તે જુદી વાત. મહાવીરે પોતે જ આચારાંગ સૂત્ર (૬-૧૯૪)માં ચેખું જણાવ્યું છે કે, “બુદ્ધિમાન ભિક્ષુએ ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ-વૈરાગ્યઉપશમ-નિર્વાણુ –શાચ-ઋજુતા–નિરભિમાનતા-અપરિગ્રહીપણું– અને અહિંસારૂપી ધર્મ ઉપદેશ. અને તેના સમર્થનમાં જણાવ્યું છે કે, “એ પ્રમાણે ધર્મ કહેતો ભિક્ષુ પિતે તકલીફમાં
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy